Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ ડી ઈ 111 ii n rvસ કેમ ભવને સ્નેહસંબંધ કિ. Tધી, જરૂર છે. એકવીશ ભવને સ્નેહસંબંધ કિ. 51 બિ“હા, મહારાજ ! આપ જુઓ, ઉપર જયસેન કુમારનું નામ છે તે. - રાજાની આંખે અંધારાં આવ્યાં, પોતાના અકાયથી જડ જેવું બની ગયેલે રાજા મૂચ્છિત થઈ ગયે, સિંહાસનથી જમીન ઉપર પડી ગયો, બેભાન બની ગયે, રાજમહેલમાં હાહાકાર થઈ રહ્યો, રાજસેવકે દોડાદોડ કરી રહ્યા. રાજરાણીઓ, મંત્રીઓ વગેરે બધા પ્રાસાદમાં ભેગા થઈ ગયા. અનેક શીત ઉપચાર કરીને મંત્રીએ રાજાને સાવધાન કર્યા. સાવધ થયેલ રાજા બધા તરફ નજર કરતા મનમાં અકથ્ય અતુલ વેદનાને અનુભવતો હોય તેમ વિલાપ કરવા લાગ્યા. “અરે! શા માટે મને સાવધ કર્યો ? અરે! અરે! કે હું દુષ્ટ ! કેવો હું અજ્ઞાની ? કે મુખ! કે હું ઉતાવળી ? કેવો હું નિર્દયમાં શિરમણિ અરે ! અધૂમ એવા મેં આ શું અકાર્ય કર્યું! દવે મને કેવો ભૂલાવ્યો? વિલાપ કરતો રાજા ફરી બેભાન થઈ ગયે “હવે મને નિરાતે મરવા દે.” મંત્રીઓએ રાજાને ફરીને સાવધ કર્યો. “સ્વામી! આ શું ? શું હકીકત છે એ તો કહો? અકાળે આજે આપને આ શું થાય છે? આટલી બધી વ્યાકુળતા શી ??? રાજાએ ગુપ્ત રીતે કરાવેલી કલાવતીની દુર્દશા મંત્રીઆદિ કઈ પણ જાણતું ન હોવાથી રાજાના આ વલોપાતનું કારણ બીજા શી રીતે સમજી શકે ? : “મંત્રીવર! શું કહું? મારૂં શંખ નામ આજે સાર્થક થયું. આજ સુધી હું નામે શંખ હતો હવે તો અર્થથી પણ મારું કાર્ય જ્યારે તમે સાંભળશે ત્યારે મારી ઉપર શુંકશે, ખચીત લેકે પણ મારા નામનો પૂરેપૂરો દુરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust