Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 522
________________ -- એકવીશ ભવને નેહસંબંધ 509: કેવલીએ કહ્યું હતું તેમજ થાય છે. આહા! કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જનારા ભવ્ય આત્માનો પરિવાર પણ કે હોય છે. પતિની પછવાડે પત્નીઓ પણ કેવલજ્ઞાને પ્રાપ્ત કરી એમના માર્ગને અનુસરનારી હોય છે. સુધન. સાર્થવાહ પિતે મનમાં જ કેવલીની સ્તુતિ કરવા લાગે.. પિતાના નગર કરતાં પણ અધિક આશ્ચર્ય જોઈ તાજુબ: થઈ ગયો, - એકવીસ ભવના સંબંધવાળા પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ ગયાકેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્મા તે જ ભવમાં શેષ આયુ પૂર્ણ કરી શિવમંદિરમાં ચાલ્યો જાય છે. પૃથ્વીચંદ્ર કેવલીની દેશના રાજા હરિસિંહના કથન બાદ પર્ષદાની આગળ પૃથ્વીચંદ્ર કેવલી ધર્મોપદેશ આપવા લાગ્યા, “હે ભવ્ય જ ! સંસારની મોહમાયામાં મુંઝાઈ તમે પ્રમાદી થાઓ નહિ, જે તમારે ભવસાગર તરી પાર થવું હોય તો સંયમરૂપી રથમાં આરૂઢ થઈ જાઓ, કારણકે જન્મ, જરા, 29, રોગ, શેકાદિ નીર જેમાં ખળભળી રહ્યાં છે, કપાયરૂપી તુછ મ જ્યાં કુટુંકુદા કરી રહ્યા છે. રાગ અને દ્વેષ રૂપી ઉકેગ જેમાં ઉછાળા મારી રહ્યા છે. એવા સંસારરૂપી સમદ્રમાંથી તરી પાર જવું હોય તો સંપૂર્ણ પનરૂપી નાવિકની સહાયથી ચારિત્રરૂપી : વહાણમાં ભારે થાઓ તો તમે પાર પામશે, અન્યથા એ સમુદ્રને પાર પામી શકાશે નહિ. એ ચારિત્ર મનુષ્યભવ સિવાય પ્રાપ્ત થઈ શકતું Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541