Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 519 રહેલા છે. મનુષ્યલોકનાં સુખે ચક્રવર્તી વાસુદેવાદિના નાટારંગ વગેરેનાં સુખો પણ સાત રાજ દૂર રહેલા સિદ્ધ ભગવાન જાણી રહ્યા છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનાં સુખો કેવલજ્ઞાનથી જાણી રહ્યા છે કેવલદર્શનથી દેખી રહ્યા છે પરંતુ તેઓને તો વેદનીયકર્મને ક્ષય થયેલો હોવાથી આત્મિક અનંત સુખનો અનંતકાળ પર્યત અનુભવ હોય છે. ' અનંત કાળ જાય તો પણ ત્યાંથી પાછુ સંસારમાં આવાગમન નહિ હોવાથી એમના એ સુખોને કયારે પણ અંત આવતો નથી. જેથી સાદિ અનંત ભાંગે તેમનું સુખ શાસ્ત્રમાં કહેલું છે. કર્મના ક્ષય થકી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ તેમજ પારિણામિકભાવ એ બે ભાવ સિદ્ધભગવાનમાં રહેલા છે. સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધને ઓછામાં ઓછી એક હાથને આઠ આંગળ જગ્યા જોઈએ છે અર્થાત એટલી જગ્યામાં તે સમાઇ શકે છે જ્યારે વધારેમાં વધારે 333 ધનુષ્ય 1 - હાથ ને 8 અંગુલ જેટલી જગામાં પણ સિદ્ધનો જીવ : સમાઈ શકે છે તે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા શરીરને આશ્રીને સમજવું. એવી રીતે પીસ્તાલીસ લાખ જોજન લાંબી પહોળી સિદ્ધગતિમાં લોકાંતના છેલ્લા જનને અંતે ઉપર કહ્યા મુજબ અવગાહનાએ સિદ્ધ) જીવો રહે છે એ સિદ્ધગતિમાં સિદ્ધના જીવો ખીચોખીચ' પણે ભરેલા છે ત્યાં એ ખાલી આકાશ પ્રદેશ નથી કે : જે ઠેકાણે સિદ્ધના જીવો ન હોય, એક બીજામાં સંક્રમીને રહેવા છતાં તેમને જરાય બાધા થતી નથી. * આ સંસારમાંથી જીવો કાયમ એ સિદ્ધગતિમાં ગમન કરી રહ્યા છે. એમાં. જે ઉત્કૃષ્ટ અંતર પડે તો છ માસનું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust