Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 192 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થયે છતો એમના વિવાદને નિવારી શકયો નહિ. એ ચારે કન્યા માટે હકદાર હતા. લલિતાંગે વિદ્યાધરને મારી નાંખે હતો. બીજાએ તિષ્ય લગ્નથી વિદ્યાધરને બતાવ્યો હતો. ત્રીજાએ વિમાન રચીને બધાને વિદ્યાધર પાસે લઈ જવામાં સહાય કરી હતી ને એથે મૃત રાજકુમારીને સજીવન કરનાર હતો. એ ચારે રાજકુમારે સમાન રૂપવાળા, મહા સામંતના કુમારો, બળવાન અને કન્યા મેળવવામાં દઢ { પ્રતિજ્ઞાવાળા હોવાથી રાજા વિષાદમાં પડી ગયો, જેથી ત્રણનું અપમાન કરી એકને કન્યા આપવાની રાજાની હિમત ચાલી નહિ. અથવા તો આ ચારેમાંથી આ કન્યાને યોગ્ય વર કેણું હશે તે પણ જણાયું નહિ. કન્યાની પ્રતિજ્ઞા ચારે જણે પૂર્ણ કરેલી હોવાથી એકેને કન્યા આપી શકાઈ નહી. ત્યારે મંત્રી વગેરે બધા એમના વિવાદને ટાળવા અસમર્થ થયા છતા બહુજ દુ:ખી થયા, . આ હકીકત સાંભળી રાજબાળા મનમાં દુ:ખને ધારણ કરતી વિચાર કરવા લાગી. " અહો આ મારા રૂપને ધિકાર થાઓ, જે રૂપમાં લેભાઈ આ ચારે ઉત્તમ નરરત્નો પરસ્પર વિવાદને કરતા કલેશ કરે છે. જો કે મારે મન લલિતાંગ તરફ આકર્ષાયેલ છે છતાં મારા દુર્ભાગ્યથા. હું તેમને મેલવી શકું તેમ નથી, ને પિતાજી પણ દુઃખી થયા છતા વિવાદને ભાગી શકતા નથી, એવા મારા જીવન તને ધિક્કાર છે. આ આપત્તિમાંથી છુટવાને મરણ સિવાય. અન્ય કેઈ ઉપાય નથી. જોકે આત્મઘાત કરવા નિષિદ્ધ છે, છતાં કવચિત શુદ્ધ પણ છે. ' ' રાજકુમારીએ આ દુ:ખમાંથી છુટવાને પિતાને વિનતિ કરી >> પિતાજી! આપ વિષાદ ન કરો, આપ મને કાટ ભિક્ષણ કરવાની રજા આપો કે જેથી આ આપત્તિમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust