Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ ૪૭ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઝળકી રહ્યાં છે તે પછી ચાર ચાર મણનાં બત્રીસ મોતી વિમાનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પછી બે બે મણનાં ચોસઠ મેતી આવેલાં છે. એ મોતીના ઝુમખા પછવાડે એક એક મણનાં એક અઠ્ઠાવીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદવામાં બસેને ત્રેપન મોતીનો ઝુમખો રહેલો છે. એ મતીમાં વિવિધ પ્રકારના નાટારંગ સ્વાભાવિક જ થયા કરે છે. દરેક મોતીમાં જુદી જુદી જાતના થતા શાશ્વતા એ નાટારંગને જોતાં ઉત્પાદુ શયામાં રહેલા દેવને શયાથી નીચે ઉતરવાની પણ જરૂર પડતી નથી-કુરસદ નથી, પવનની મંદમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફળાય છે એક બીજાના સંઘર્ષથી અનેક રાગ રાગણી ઉત્પન્ન થાય છે મનહર દેવતાઈ વાર્દિત્ર કરતાં પણ અનંત ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મેતીની અંદર થતા નાટારંગને જોતાં જોતાં તેમને બધે કાળ ચા જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ઇચ્છા થાય છે ત્યારે પણ ઈચ્છા થતાંની સાથે જ તે તૃપ્ત થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કર- - વાનીય જરૂર પડતી નથી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પોતાના એ દિવ્ય સુખમાં એવા તો લયલીન છે કે એટલું બધું દીર્ઘ આયુ પણ પસાર થઈ જાય છે તેમની તેમને ખબર પડતી નથી. ફક્ત છટ્ઠના તપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મનુષ્ય એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તો મોક્ષે જ પહોંચી જાય એવા એ લવસમમ દેવતાઓ કહેવાય છે. અગીયા૨માં ગુણસ્થાનકે જે કાળ કરે તો પણ અનુત્તર વિમાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust