Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 487 રતને જોઈ રાયે હતો, બાંધવોએ સમજાવવા છતાં કેશવ સમજ્યો નહિ તેમ બાંધવ સમાન સાધર્મિકની શિખામણ છતા જીવ સમજતો નથી. કેશવે બધુ ઘર ખોદી નાખ્યું તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદા રૂપી મકાન ખોદી નાખે તે કેશવની માફક બેઆબરૂ થઈ લકે વડે નિંદાય છે. ને કપિલાની માફક કર્મપરિણતિથી જીવની કાંઈ ઓછી હીલના થતી નથી. વિષયના પાપથી જીવ અનેક દુઃખોને ભોક્તા થાય છે, એવાં નિવિવેકી જનોનાં ચારિત્ર ઈ કોના ચિત્તને વૈરાગ્ય થતો નથી ? 5 પૃથ્વીચંદ્રકુમારની વાણી સાંભળી સંસારની અસારતા ચિંતવતી સંવેગના રંગે રંગાયેલી એ લલનાઓ બેલી. “હે સ્વામી! તમે કહ્યું તે બધું સત્ય છે. સંસાર બધો એજ છે. સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચુ જીવ પોતાને ભૂલી ગયો છે પણ હવે એને ત્યાગ શી રીતે કરે ? તમે ગુરૂને આરાધી ધર્મસેવન કરો. ગુરૂ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાગી હોય, મોક્ષના ઉદ્યમી હોય. કુમારે કહ્યું. “હે પ્રભે ! અમને સદ્ધ આપી વૈરાગ્ય પમાડનારા તમે અમારા ગુરૂ છો અમે તમારી ગૃહિણી શબ્દથી કૃતાર્થ થઈ હવે અમારી ભેગ તૃષ્ણા આપના ઉપદેશથી નાશ પામી છે. તો અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરે. હે આર્યપુત્ર ! તમારે પણ અગ્નિથી પ્રદીપ્ત એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તે તમને અમે વિશેષ શું કહીયે ? તમે તો તત્વના જાણકાર છે. સ્ત્રીઓનાં એ પ્રમાણેનાં વચન સાંભળી હર્ષિત થયેલ કુમાર બ૯, .' .. ... ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust