Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 49 ભાર ભરેલા ગાડામાં જોડાયે, ખેતીને માટે હળ લઈ ગજા ઉપરાંત વૈતરૂ કર્યું. ને ઉપરથી ચાબુક, પરેણાના માર સહન કર્યા. ભૂખ, તરસ, તાપ, ટાઢ આદિ મેં સહન કર્યા, હાથી, ધોડા, ગાય, ભેસાદિક દરેક ભવમાં એવાં અનંતીવાર દુ:ખ સહન કર્યા, માતા ! પરાધિનપણે દુ:ખ સહન કર્યાને કાંઈ પાર નથી. એવાં તે કેટલાં દુખે વર્ણવું, માતા !" મનુષ્ય ભવનાય દુ:ખો કાંઈ ઓછાં છે? માતા! પ્રથમ તો ગર્ભાવસ્થાનાં દુ:ખ કાંઈ જેવાં તેવાં નથી. તે પછી જન્મ, જરા, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અનિષ્ટને સંયોગ અને ઇષ્ટનો વિયોગ તેમજ શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખો અનેકવાર ભગવ્યાં એ બધાં દુઃખને સંભારતો સુખને માટે સાધુપણું અંગીકાર કરું તો એમાં ખોટું શું માતા ! એ બધાંય સંસાર જન્ય દુ:ખો આગળ મુનિપણનાં સ્વાધિનતાપૂર્વક ભાગવાતા કષ્ટ એ તે કાંઈ દુ:ખ કહેવાય માતા!ગુણસાગરે ભવદુ:ખનું વર્ણન કરી પોતાની મક્કમતા જાહેર કરી, . પુત્રને નિશ્ચય જાણી એની માતા એશીયાળી થઈ - ગઈ, ગગ કંઠવાળી થઈ પુત્રના ચરણ પકડી બોલી. દિકરા ! તારો નિશ્ચય અપૂર્વ છે, મારી આટઆટલી - કાકલુદી છતાં તારા નિશ્ચયમાં ફરક પડતો નથી તો જેવી દેવની મરજી ! મારા જેવી સત્વ વગરની તારી માતાને તું કંઇક અવલંબન તે આપ. મારી એક વાત તું માન્ય કર, તારા વિવાહને માટે જે કન્યાઓ આવેલી છે તેમની સાથે વિવાહ કાર્ય કરી મને વહુઓનાં મુખ બતાવ, તને પરફોલો જોઈ કતાર્થ થયેલી હું તને અનુમતિ આપીશ.” * માતાની એ મોહ ઘેલછા જાણી પુત્ર બોલ્યો. પરણીને હું તરતજ દીક્ષા અંગીકાર કરનાર હોવાથી Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust