Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 517
________________ 504 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાર લાગતી નથી તો હું તો વૈરાગી ઉપર નિરંતર રાગવાલી એવી મુક્તિ રૂપી કન્યાની જ હવે પ્રાર્થના કરીશ. - “માતાની અભિલાષા પૂર્ણ થવાથી હવે પ્રાત:કાલે હું ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરીશ. ગુરૂન વિનયવૈયાવચ્ચ કરીશ, જ્ઞાન, ધ્યાનમાં સાવધાન રહી ભવસાગર તરી પાર ઉતરીશ. એ પ્રમાણે આત્મચિંતવન કરતો ગુણસાગર જાતિસ્મરણજ્ઞાન વડે પૂર્વના ભવને સંભારતો ને ચારિત્રની આરાધનાનું સ્મરણ કરતો ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાને ચડ. એ શુકલધ્યાન આરૂઢ થયેલા ગુણસાગર ક્ષપકશ્રેણિએ ચઢી અનુક્રમે ત્યાંજ કેવલજ્ઞાન પામ્યા મોહના મંદિરમાં જ તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. - દાંત અને શાંતસમાં નિમગ્ન ગુણ સાગરને-પોતાના સ્વામિને નિશ્ચલ-સ્થિર દષ્ટિવાળા જોઈ લજજાથી અવનત મસ્તકવાળી એ સર્વે નવોઢા વિચારમાં પડી. “ગૃહસ્થ અને મોહના મંદિરમાં રહેવા છતાં આ અમારા સ્વામીને ધન્ય છે કે જેઓ શાંતરસમાંજ માત્ર લીન છે, પાપકર્મના નિધાન સમાન અમારે વિષે એમને જરા પણ રાગ નથી. આવા મુક્તિવધુની વરમાલ ગ્રહણ કરનારા અમારા સ્વામીને ધન્ય છે ને આવા સ્વામીની વધુ કહેવડાવવા માટે અમનેય ધન્ય છે કે જેથી અમે પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામશું. ધર્મધ્યાનમાં શુભ ભાવનારૂઢ થયેલી આઠે કન્યાઓ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાને આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ ચઢી ચાર ઘનઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાનને પામી કારણ કે સાચી સ્ત્રીઓ તો એજ કે જે પતિના માર્ગને અનુસરે. છે. તે સમયે આકાશમંડળમાં નૃત્ય કરતા દેવતાઓ દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541