Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ : - એકવીશ ભવનો સ્નેહસંબંધ 5 જોઈ તારી આ હાલત થઈ? તારા હૃદયમાં જે થયું હોય તે કહે તો અલ્પ સમયમાં જ તે તને મેળવી આપું.” : પિતાની વાણી સાંભળી કુમાર-ગુણસાગર બોલ્યો. “પિતાજી ! એવી મોહની રમતમાં મને કાંઇ મઝાહ નથી આવતી. સ્ત્રીયાદિકના વિષયભોગને તો હું રોગોની માફક જાણું છું. જેથી મારું મન તેમાં રમતું નથી કારણ કે ભવાંતરમાં દેવગતિમાં મેં દેવલોકનાં સુખ સારી પેઠે ભોગવ્યાં છતાં જીવને તૃપ્તિ થઈ નહી તો મનુષ્યના આ તુછ ભોગેથી જીવને તૃપ્તિ શી રીતે થશે? ' અત્યારે તે મારું મન દેવના ભાગોમાં પણ પ્રતિ ધારણ કરતું નથી તો બીભત્સ એવા મનુષ્યના ભેગેની તે વાત શી ? જેને અમૃતનાં પાન કરવાની પણ ઈચ્છા થતી નથી તે શું વિષ પાન કરે કે ? છતાં પણ હે પિતાજી! તમે જો મારા મનોરથ પૂર્ણ કરવાને પ્રસન્ન થયા હો તો મને શ્રમણપણું અંગીકાર કરવાની રજા આપે, કારણ કે ઝરૂખામાં–ગોખમાં ઉભેલા મને મુનિદર્શનથી પૂર્વભવમાં ચારિત્ર પાળેલું યાદ આવ્યું. સાવધ થયેલા ગુણસાગરે જિાતિસ્મરણ જ્ઞાનની પોતાને પૂર્વભવ જાણી પિતાની પાસે ક્ષા લેવાની રજા માગી. . પુત્રની વાત સાંભળી કંઇક લાનિ પામીને શ્રેષ્ઠી બોલ્યો, ““પુત્ર ! આ નવીન તારૂણ્યમાં અત્યારે તારે દીક્ષાને સમય નથી. કારણ કે પંડિતોએ અનુક્રમે કરી ત્રણે. વર્ગ સાધવાની આજ્ઞા ફરમાવેલી છે તે પ્રમાણે પહેલી અવસ્થામાં વિદ્યાભ્યાસ કરી ને બીજી વયમાં ઘન ઉપાર્જન કરી ગૃહસ્થ ધર્મનું આરાધન કરવું અને ધર્મ તો ત્રીજી અવસ્થામાં સેવ કહ્યો છે. * . . હે પુત્ર! તારે પણ ભુક્ત ભેગી ક ત્રીજી અવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust