SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઝળકી રહ્યાં છે તે પછી ચાર ચાર મણનાં બત્રીસ મોતી વિમાનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પછી બે બે મણનાં ચોસઠ મેતી આવેલાં છે. એ મોતીના ઝુમખા પછવાડે એક એક મણનાં એક અઠ્ઠાવીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદવામાં બસેને ત્રેપન મોતીનો ઝુમખો રહેલો છે. એ મતીમાં વિવિધ પ્રકારના નાટારંગ સ્વાભાવિક જ થયા કરે છે. દરેક મોતીમાં જુદી જુદી જાતના થતા શાશ્વતા એ નાટારંગને જોતાં ઉત્પાદુ શયામાં રહેલા દેવને શયાથી નીચે ઉતરવાની પણ જરૂર પડતી નથી-કુરસદ નથી, પવનની મંદમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફળાય છે એક બીજાના સંઘર્ષથી અનેક રાગ રાગણી ઉત્પન્ન થાય છે મનહર દેવતાઈ વાર્દિત્ર કરતાં પણ અનંત ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મેતીની અંદર થતા નાટારંગને જોતાં જોતાં તેમને બધે કાળ ચા જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ઇચ્છા થાય છે ત્યારે પણ ઈચ્છા થતાંની સાથે જ તે તૃપ્ત થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કર- - વાનીય જરૂર પડતી નથી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પોતાના એ દિવ્ય સુખમાં એવા તો લયલીન છે કે એટલું બધું દીર્ઘ આયુ પણ પસાર થઈ જાય છે તેમની તેમને ખબર પડતી નથી. ફક્ત છટ્ઠના તપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મનુષ્ય એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તો મોક્ષે જ પહોંચી જાય એવા એ લવસમમ દેવતાઓ કહેવાય છે. અગીયા૨માં ગુણસ્થાનકે જે કાળ કરે તો પણ અનુત્તર વિમાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy