Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબધ 431 કેશવની કર્મકથા ભુપે હવાલે ભીખ માગી પેટ ભરતો સુમિત્ર રખડતો રખડત એક દિવસે વીરપુર નગરમાં આવ્યો ત્યાં ગુણધરને તેને ભેટે થતાં તેને ઓળખી ગયે. પછી તો કપટ નાટકને ભજવતો ગુણધરને છેડો પકડી સુમિત્ર રૂદન કરતો બે, “હે મિત્ર! સાથેનો કલાહી સાંભળી તને જગાડયા વગર હું સાર્થમાં આવ્યું તો આપણા માલને ચેરતા ભિલ્લ લેકને જોઈ આપણા સુભટો સાથે હું તેમની જોડે યુદ્ધ કરવા લાગ્યો પણ મને તેઓએ પકડો. આપણે માલ બધો ચેરીને તેઓ જતા રહ્યા, ત્યાં પોતાની પલ્લીમાં તેની ઉપર બીજા ભિલ્લ લોક ચઢી આવ્યા. તેમની સાથે તેઓ લડ્યા એ સમયનો લાભ લઈ હું મારે જીવા બચાવી મુઠીઓ વાળી ભાગ્યો. વનેવન તમને શોધતો અનુક્રમે અહીં આવ્યું તો તમને જોઈ હું ખુશી થયો, હે બંધુ! પિતાને ઘેર સુખે રહેતા તમને મેં નાહક કલેશ પમાડ્યો. સુમિત્રનાં વચન સાંભળી તેને ઓળખી ગુણધર પોતાને મકાને તેડી લાવ્યો, ખાન, પાનથી તેને સંતોષ પમાડી પોતાની વાત પણ તેને કહી સંભળાવી, પેલી સિદ્ધ રસની વાત પણ સરળ સ્વભાવવાળા ગુણધરે કહી દીધી. | સુમિત્રની પ્રેરણાથી એ રસ બી વણીકને ત્યાં થાપણ મુકી બન્ને મિત્ર સંકેત કરી ખુબ ધન કમાવા પરદેશ ચાલ્યા. તેઓ તામ્રલિપી નગરીએ આવ્યા, ત્યાં સમુદ્ર કિનારે કટાહદ્વીપથી વહાણે આવેલાં હતાં. આ બન્ને મિત્રો તે જોવાને કૌતુકથી ત્યાં આવ્યા. ગુણધરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust