Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 480
________________ એકવીશ ભવન નેહસંબંધ - 467 અને સરસવને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના વિશે મજીઠ ને કેટલી પીડા ભેગવવી પડે છે ? માટે હે સાધુ! ભારે કમ એવા ધર્મરહિત જીવોના સ્નેહની વાત તો દૂર રહો પણ આસન્નસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કેવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્ત્રી અને પુત્રાદિક જે મિત્રગણ તેમજ જે શત્રુસમુદાય એ એકએકની સાથે અનંતીવાર શત્રુમિત્રના સંબંધે ભેગા થયા. ભુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું ભક્ષણ થયું. કેટલાકને રેષથી મારી નાખ્યા. સ્નેહથી કેટલાકનું પાલન કર્યું, માટે સંસારનું સ્વરૂપ જાણનાર એ રાગ અને રોષ કર યુક્ત નથી.” ગુરૂની શિખામણ સાંભળીને તે બન્ને મુનિએ બાલ્યા. “હે ભગવન! સંસારના સર્વે સંબંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાધના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસનો સ્નેહ જતો નથી એનું કારણ શું? તે આપ કહો, બન્ને મુનિઓની વાણી સાંભળી ગુરૂએ તેમનો પરભવનો સંબંધ મૂળથી અત્યાર સુધીનો કહી સંભળાવી કહ્યું, “તમે જન્મજન્મ સ્નેહને ખુબ પોષે છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુસ્યાજ્ય છે છતાં તમારા જેવાએ એ બંધન તે તોડવાં જ જોઈએ. મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ સ્નેહબંધન તમારી ભવ૫રં૫રા વધારશે. માટે તમારે એને ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ.” ગુરૂના મુખથી પોતાના પૂર્વભવે જાણી બને મુનિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરૂના કહ્યા પ્રમાણે પોતાના પૂર્વભવ જોયા, જેથી મનમાં અધિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541