Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 436 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો મિથ્યાત્વી એ તે પિતાને શુદ્ધ શ્રાવક માનતે. અનુક્રમે કાળકરી કિલિબષિક થયો. દૌર્ભાગ્ય નામ કર્મના ઉદયથી ત્યાં પણ સમૃદ્ધ દેવતા-- એ એને પંક્તિ બહાર કર્યો. તેથી તેણે સ્મશાનાદિકમાં રહીને પિતાનો કાલ નિર્ગમન કર્યો. ત્યાંથી ચંડાલના. કુળમાં અવતર્યો. અનેક પાપકર્મ કરી ત્યાંથી ધૂમપ્રભામાં નારકી થયે એ નારકીની મહાવ્યથા અનુભવી તારે પુરહિત કપિંજલ થયો, ભવાંતરના સંબંધથી આજે પણ કંપિંજલને કેશવ સાથે પ્રીતિ થઈ. એ કેશવની સંગતથી. કુલને ઉચિત કિયાનો પણ ત્યાગ કરી કપિંજલ નાસ્તિક થયો છતાં પણ હજુ રૂજુ પરિણામી હોવાથી શિવદેવના: ભવમાં તીવ્ર મિથ્યાત્વ ન બાંધવાથી અત્યારે એને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવ જાણી. તે પ્રતિબોધ પામ્યું છે પણ કેશવ તે ગુરૂદ્રોહ કરવાથી. તીવ્ર અભિનિવેશને ધારણ કરતા ઘણા કાળ ભવારણ્યમાં. ભટકશે. ફોન, ધ્યાન, તપ અને ઉપધાનની વિધિથી શાસનની, ઉન્નતિ કરનારા શુદ્ધ સંયમ ધારી ગુણીજન એવા. સાધુઓની જે અલ્પ બુદ્ધિવાળા પુરૂષો હીલના કરે છે તે આત્માને વારંવાર નરકાગારમાં પાડે છે. બ્રહ્મચર્યને ધરનારા શુદ્ધ મુનિવરેના અવર્ણવાદને બેલે છે તે ભવાતરમાં કાણા, અંધા, બહેરા,ડુંઠા, મુંગા, દુર્ભાગી દરિદ્વી અને દુ:ખી થયા છતાં સંસારમાં ઘણે કાલ ભમે છે. જેને શ્વરના ધર્મને પામીને પણ તે ભાવમાં ડુબી જાય છે. માટે વિવેકી જનોએ તો સાધુ-મુનિરાજની અવશ્ય આરા1 ધના કરવી, કારણ કે આ દુષમ કાલમાં તરવાને માટે. ગુરૂ એ એકજ સાધન વિદ્યમાન છે. ભગવાનની વાણીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust