Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 438 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રી, સામંત, સેનાપતિ, મંગ્લેશાદિ સાથે કનકધ્વજ રાજા અને જયસુંદર યુવરાજે ગુણધર ગુરૂની પાસે મહેત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. નોરાજા કનકકેતુ પણ પૂજ્ય એવા પિતાના વડીલોને વાંદી શેકગ્રસ્ત થયે છતાં પિતાના. પરિવાર સાથે પોતાને નગરે ગયો. કનકધવજ અને જય-. સુંદર નિર્મળ ચારિત્રને પાળતા, સમિતિ અને ગુપ્તિને ધારણ કરતા રૂડી રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવા લાગ્યા. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી પ્રાણાંતે અણશણપૂર્વક સમાધિમરણવડે વિજય નામના અનુત્તર વિમા: નમાં બને બાંધ બત્રીશ સાગરોપમના આયુવાળા ઉત્તમદેવ થયા. એક હાથના શરીરવાળા તે ઉત્પાદ. શયામાં સુતા સુતાં પોતાનો સર્વ સમય સુખમાં નિગમન કરે છે. ને ચંકુવાના મોતીના ઝુમખામાં થતા નાટારંગને જોતા જતા કાલને પણ જાણતા નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust