Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = = એક્વીશ ભવને નેહસંબંધ પરિચ્છેદ 10 મો કુસુમાયુધ અને કુસુમકેતુ અંગાધિપતિ શ્રી જયરાજા રીયાત સંવેશ્વરઃ વાર્થ-નાથી વિથોપવેદાર भूत-भावी-भवद्भाव-विभासनकभास्वरः॥९॥ ભાવાર્થ–બધા જગત ઉપર ઉપકાર કરનારા, તેમજ ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભાવને જણાવવામાં અદ્વિતીય સૂર્ય સમાન શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ જગતમાં જયવંતા વર્તા, જય પામો. આ ભરતાર્ધમાં અંગદેશની રાજ્યધાની ચંપાનગરી સ્વર્ગપુરી સમાન રમણીય અને મનહર હતી, નગરીના રાજા શ્રીજયે શત્રુઓના સમુહને છતી પિતાનું શ્રી જય નામ સાર્થક કર્યું હતું. એના અંત:પુરની અનેક રાણીઓમાં પ્રિયમતીનામે પટ્ટરાણી હતી. અંગદેશની લક્ષ્મી રમા અને રામાને પ્રાપ્ત કરી નરપતિ શ્રીજય સર્વ રીતે સુખી હતો. | કનકધ્વજ રાજાને જીવ વિજય વિમાનમાંથી પોતાનું આયુ પૂર્ણ કરી પ્રિયમતીના ઉદરમાં ઉન્ન થયો. તે સમયે પટ્ટરાણીએ મનોહર સ્વપ જોયું. જાણે કે “સિંહાસન પર બેઠેલી પટ્ટદેવીના મસ્તક ઉપર રાજાએ પોતાના મુગુટ આરેપણ કર્યો.” સ્વમાવસ્થામાંથી જાગૃત થયેલી રાણીએ રાજા આગળ પ્રાત:કાળે સ્વમ નિવેદન કર્યું, તે સાંભળી રાજાએ કહ્યું. Jun Gun Aaradhak Trust AC.Cunrarthalsum TV