Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૩પ૭ અધું તપમાં જાય છે તે રાત્રી ભોજનના દેષ જાણી એમાંથી નિવૃત્ત કરવી એ લાભકારી છે, છતાંય કદાગ્રહ ધારણ કરી જાણી જોઈને આડે રસ્તે દોરાવું એ ખુબજ નુકશાન કરનાર થશે. પેલા ગ્રામ્યપુત્રે ગધેડાનું પુછડુ પકડી રાખ્યું તો ગધેડાની લાતો ખાઈને મહાવ્યથાને પામ્યો તેમ મોટે કદાગ્રહ ધારણ કરવાથી અતિ દુ:ખ સહન કરવું પડે છે ઈશ્વરની સત્યવાત સાંભળવા છતાં ધનેશ્વરે પોતાને મમત્વ મૂક્યો નહિ. એ નક્તવ્રતમાં પ્રીતિવાળે ધનેશ્વર આર્તધ્યાને મરણ પામીને વાળમાં ઉત્પન્ન થયો ત્યાં મરણ પામી પાંચ વાર વાગોળનો ભવ પાપે, બે વાર ચામાચીડીયામાં ઉત્પન્ન થયે, બે વાર ઘુવડના ભવમાં, બે વાર શિયા ના ભાવમાં ભમી મરણપામી વિશાળાપુરીમાં દેવગુપ્ત બ્રાહ્મણની ના નામની પત્ની થકી પુત્ર પણે ઉત્પન્ન થયે, તે જન્મથીજ રોગી થયે એક રોગ મટે તો બીજા બે નવા ઉત્પન્ન થાય, મોતના મેમાન એવા તે પુત્રનું નામ પણ ન પાડવાથી ગામમાં રોગ નામે તે પ્રસિદ્ધ થયો ને વિષ્ટામાં રહેલા કીડાની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો કારણકે દુ:ખમાં પણ દિવસે તો જાય છેજ, અન્યદા શ્રાવકના વ્રતને ધારણ કરનારે ઈશ્વર સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાને ઉસુક થયો. શ્રી ધર્મે ' શ્વગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિહાર કરતાં તે મુનિ વિશાલાપુરીમાં આવ્યા. પક્ષ ઉપવાસની ધારણા નિમિત્તે નિકળેલા તે મુનિને પેલા દેવગુપ્ત બ્રાહ્મણે જોયા, તેમને નમસ્કાર કરી પ્રતિ લાભિત કરી પિતાના પુત્રના રોગનું કારણ પૂછયું, * હે ભાગ્યવાન ! ગોચરીએ જતાં વાર્તા કરવાનો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust