Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 424 ... પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દીક્ષા લેશે તો મારી આજીવિકા તુટી જશે નો રાજા કેણ જાણે પછી શું કરશે.” એમ વિચારતો કેટલાક દિવસ પછી રાજાની પાસે આવીને કહેવા લાગ્યો. “દેવ ! મેં નગરમાં તેમજ બીજે સ્થળે ગુરૂની બહુ શેાધ કરી પણ એવા ગુણવાન અને રાનીગુરૂ મેં જોયા નહી. કેઈ પરિગ્રહધારી તો કઈ શિથિલાચારી તો કઈ કષાયના ભરેલા. કેઇ માયા કપટ વૃત્તિથી બાહ્ય આડંબર વાળા જોયા પણ જેમના ચરણ રૂપી યાનપાત્ર વડે સંસાર સમુદ્ર તરી શકાય એવા કોઈ મેં જોયા નહી. માટે હાલમાં તો આપ પુણ્યવાન એવા ગ્રહવાસમાં રહો, જ્યાં દાન, શીલ, તપ અને ભાવથી ધર્મ સાધી શકાય છે. હું પણ દીક્ષાની ભાવના વાળ છું પણ તેવા ગુરૂના અભાવે દુ:ખે દુ:ખે સંસાર નિભાવી રહ્યો છું, >> | મોહનના શબ્દો સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો. અહો ! આ પાપી વ્રતની સ્થાપના કરે છે. યતિધર્મ તો મુક્તિની લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શીધ્ર ઉપાય છે માટે જીન પ્રિયને પૂછવા દે. 25 એમ વિચારી મોહનની પાસે જીનપ્રિયને બેલાવી મોહનની વાત અને પિતાને અભિપ્રાય કહી સંભળાવ્યો. જીનપ્રિય મોહનને ઉદ્દેશી બોલ્યો, તું મોહન છે તે તારું નામ સત્ય છે, કે આ રાજાને પણ તુ મુંઝવી નાખે છે. પણ સાંભળ–સાહસિક પુરૂષને ચપળ ચિત્ત પણ શું કરી શકે તેમ છે ? દુજય એવા ઈદ્રિના વિકારે પણ તેને કાંઈ કરી શકતા નથી. પ્રમાદનો ત્યાગ કરી સાવધાન પણ તેઓ વ્રત પાળે છે. સ્વાધ્યાય, દયાન, તપમાં ઉદ્યમવાળા મુનિએનું ચિત્ત કદાપિ ચલાયમાન થતું નથી. અઢાર હજાર શીલાંગ રથના ભારને વહન કરનારા મુનિ એ રથને કયારે પણ અર્થ માગે છેડતા નથી. કર્મના દોષ થકી. તેમનું ચિત ભારતે વકીના .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust