Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = એકવીશ ભવન નેહસંબંધ 427 આવે છે? એક ચિંતા દૂર થઈ કે બીજી ચિંતા એનું સ્થાન લઈ લે છે માટે એ બધી ચિંતાનો ત્યાગ કરી મુક્તિને માગે જવાનો પ્રયત્ન કર, ગુરૂની વાણી સાંભળી મુક્ત થવાની અભિલાષા વાળા રાજાએ નગરમાં આવી વીરસેન કુમારને રાજ્યપદે સ્થાપન કરી જીનપ્રિય તેમજ મંત્રી, સામંત અને શ્રેષ્ટિની સાથે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપસ્યા કરતો ને અગીયાર અંગો જ્ઞાતા રાજા વીરાંગદ મુનિધર્મને સારી રીતે પાલવા લાગે, - સાધુધર્મની દશવિધ સમાચારીનું આરાધન કરતા ને મુનિગણની વૈયાવચ્ચ કરતાં ખુબ પુણ્ય ઉપાર્જન કર્યું. પ્રાણાતે અનશનપૂર્વક કાળ કરી મહાશુક દેવલોકે ઈદ્રપદને પામ્યો. જીનપ્રિય શ્રાવક પણ એ ઈકનો મહર્ષિક એવો સામાનિક દેવ થયો. બન્ને મહાશુકદેવપણાનાં દિવ્ય સુખો. ભેગવવા લાગ્યા. પેલો ધિગ જાતિ મોહન ત્યારથી સાધુ હી થઈ સાધુ-- એનાં છિદ્ર જેવા લાગ્યા. અભિનિવેશ મિથ્યાત્વવાળા તે પૌષધ, પ્રતિકમણના બહાને ઉપાશ્રયમાં જઈ સાધુએનાં ઝીણામાં ઝીણાં છિદ્રને મેટું સ્વરૂપ આપી લોકની. આગળ સાધુઓની નિંદા કરતો પણ તેમના ગુણને ગ્રહણ કરતો નહિ, " અરે જુઓ તો ખરા આ સાધુ તો મુખ આડે મુહપત્તિ રાખ્યા વગર બેલ બોલ કરે છે. આ સાધુ. બહાર જાય છે ત્યારે હાથમાં દાંડો જ રાખતા નથી. અમુક સાધુ તો દિવસે પણ નિકા કરતા આળસુ બની ગયો છે.. ને પેલા સાધુ તો વિસ્થા કરવામાંથી નવરા જ પડતા નથી. પર્વતથિએ પણ ઉપવાસ ન કરે એ શું સાધુધર્મ છે ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust