Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 382 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હાથ અને પગને પણ હેડમાં મુકીને રમતો, ને હારી - જતો ત્યારે કંઇ પણ આપતે નહિ એવી રીતે જુગારીઓથી પીડા પામતા આને સાતવાર એના પિતાએ દ્રવ્ય આપીને છોડાવ્યો અનેક શપથ (સોગાન)પૂર્વક પણ એ ઘુતથી વિરામ પાપે નહિ, જે એ ઘુતમાં જીતી જતો તો કેઈની પાસે કાંઈ પણ રહેવા દેતો નહિ ને હારી જતાં તે નાશી જતો હતો. હાલમાં એક લાખ દ્રવ્યનું પણ કરી રમતાં હારી જવાથી તે અમારા પંજામાંથી છટકી ગયે પણ અમે એને પકડીને અમારા લાખ દ્રવ્યની માગણી કરીએ છીએ. છતાં તે આપતો નથી. માટે હે દેવ ! દુરચારી એવા આને આપ છોડી દ્યો.” - એ લોકોની વાણી સાંભળી રાજા વિચારમાં પડયો. - “અહો ! કર્મનો કેવો પરિણામ છે ? અજ્ઞાનની આવી ચેષ્ટાને ધિક્કાર થાઓ.” એમ વિચાર કરતો રાજ બાલ્યો જે આ પુરૂષ સાથે જુગાર રમશે તેને મહા દંડ થશે.” એક લાખ દીનાર પોતાના ભંડારમાંથી મંગાવી પેલા પુરૂષોને આપી તેમના પંજામાંથી મુક્ત કરી હરિવેગ સાથે રાજા રાજપ્રાસાદ તરફ ચાલ્યા ગયા. વૈરાગ્યવાન રાજા હરિગ વિદ્યાધરેકને કહેવા લાગ્યા “સખે ! આ જુગારી મૂર્ખ છે. જુગારના વ્યસનથી વારેવાર પીડા પામ્યા છતાં તે જુગારને છાડતો નથી. અરે પણ એને શુ શેક કરે એના કરતાં આપણી સ્થિતિ કેટલી સારી છે તે? સંસારની અસારતા જાણવા છત પણ પ્રમાદના વશ થકી અશુચિથી ભરેલા એવા ભેગામ આપણે પ્રીતિ કરીયે છીએ, ઘતકારનું નિંદ્ય કર્મ જેમ જગત નિદે છે તેમ સંસારી પુરૂષોનું વિષયસેવન પણ જ્ઞાન પુરૂષાએ નિંદેલું જ છે. જેમ મેટા કષ્ટથી ઉપાર્જન કરે એમ છતાં એના કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust