Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એવીશ ભવને સ્નેહસંબંધ 395 કરવું એ નીતિ છે માટે તારૂં રક્ષણ કરી આ નરેને મને આપી દો સિંહની વાણી રત્નસારે માન્ય કરી નહિ ને કહ્યું કે “તારી સુધાની વેદના તારે દૂર કરવી હોય તો: મારો કોળી કરીને કર !" રાજકુમારના સવથી પ્રસન્ન થયેલો સિંહ બે“હે પરોપકારી ! માગ, કંઈક મારી પાસે વરદાન માગ.” સિંહની વાણીથી તાજુબ થયેલ રત્નસાર બેલ્યો. “કહે તે ખરા ભલા તમે કેણ છે ? ' “હું આ નગરના અધિપતિ દેવ છું.” સિંહની વાણી. સાંભળી કુમાર રત્નસાર 9o. “તમે અધીશ્વર છતાં આ નગરી જનશૂન્ય કેમ છે, તેનો ઇતિહાસ કહો.” કુમારની ઈચ્છાને સંતોષતે સિંહ પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને બોલ્યો : " - “ગાંધારપુર નગરના રાજા રવિચંદ્રને બે પુત્રો હતા, રતિચંદ્ર અને કીર્નિચંદ, અન્યથા વૈરાગ્યવાન રાજા રતિચંદ્રને રાજ્યપદે સ્થાપન કરીને કીર્નિચંદ્રને યુવરાજ પદ આપી વનમાં તપ કરવાને ચાલ્યો ગયે, રતિચંદ્ર પણ પિતાના બંધુ કીર્નિચંદને રાજ્યકારેબાર સમર્પણ કરી ગીત ને ગાનતાનમાં સમય વ્યતીત કરવા લાગ્યું, રાજ્ય. લોભી કીર્નિચંદ્ર સામંત મંત્રીઓને વશ કરી પોતે રાજ્યના માલિક થયો ને રતિચંદ્રને બાંધી પોતાની સામે હાજર કર્યો. મારાઓને બોલાવી તેનો શિરચ્છેદ કરવાનો હુકમ કર્યો- રાજ્યભી કીર્નિચંદ્રને સમજાવવાને રતિચઢે ખુબ પ્રયાસ કર્યો. બાંધવ! પિતાસમાન જેષ્ઠ બંધુને મારી. આપણા નિર્મળ કુળને કલંકિત ના કર. આ રાજ્ય તારૂંજ છે ને તુંજ ભગવ. મને છુટો કર, કે જેથી પિતાના માર્ગે ચાલી તપોવન જઈ તપ કરૂ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust