Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 421 કપિંજલ મૌન થઈ ગયો, છતાં જ્ઞાની એવા સરીધર મોહ રૂપી મિથ્યાત્વાંધકારમાં ભૂલા પડેલા આ પામર જીવપર કરુણા લાવીને બોલ્યા, “હે કપિંજલ ! તારો આ કુબોધ સ્વભાવજન્ય નથી, પરંતુ પોતાના પાપે કરીને જાત્યંધ થયેલા તારા મામા કેશવે તને દઢ મિથ્યાત્વ તરફ ખેંચે છે-મોહથી તને ભ્રમિત કર્યો છે. " કેશવની વાત સાંભળી અનેક વિચારવમળમાં પડેલે પુરૂષોત્તમરાજ હાથ જોડી બોલ્યો, “ભગવાન ! એ કેશવે પ્રાપ્ત થયું તે આપ કહો. ) રાજાના પૂછવાથી પર્ષદાના બોધને માટે ગુરૂએ કેશવનું ચરિત્ર કહેવું શરૂ કર્યું. ' મેહનના ભવમાં વસંતપુર નગરમાં પૂર્વે વીરાંગદ નામે રાજા હતો. ગુણવાન અને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળ છતાં એ રાજા મૃગયાનો બહુ શેખીન હતો. એક દિવસે અધારૂઢ થઈ અ૮૫ પરિવાર સાથે મૃગયા ખેલવાને નિકળ્યો. જંગ- લમાં ભ્રમણ કરતા વનચર પશુઓ તરફ પોતાના અને દોડાવતો સેવકના કહેવાથી તે રાજા એક શુકરની પછવાડે દોડયો અને શરસંધાન કર્યું. બાણની પછવાડે રાજા પણ વેગથી ધસી આવ્યો, રાજાએ શુકરને તો નહિ પણ પોતાના બાણથી ચાર ને વીધાયેલા એવા દયાનીમુનિને જોયા. દયાનમાં ઉભેલા મુનિને કલેશ પમાડવાથી રાજા પશ્ચાત્તાપ કરતો મુનિના ચરણે નો. ઇ ભગવાન ! મારે અપરાધ ક્ષમા કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust