Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 416 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શીઘ્રતાથી આત્મહિત કરે એવા ધર્મનું મારે સેવન કરવું જોઈએ કારણકે સારા ધર્મની સેવા કરનારા તો જગતમાં દુર્લભ હોય છે. ન ધર્મના મનોરથ કરતો રાજા સુમંગલ સારા ધર્મની. ખેવના કરી રહ્યો હતો, મંત્રીને પૂછી પાખંડીઓ પાસેથી ધર્મ સાંભળવાને તૈયાર થયો હતો તે દરમિયાન વનપાલકે રાજાને વધામણિ આપી. દેવ ! દેવરમણ ઉદ્યાનમાં મૂર્તિમાન ઘર્મસમાન શ્રીસ્વયંપ્રભ નામે સરીર પધાર્યા છે તેમને પ્રાત:કાળે કેવલજ્ઞાન ઉuત્ર થયું છે, જુઓ ! આ બધા દેવતાઓ તેમના ચરણની સેવામાં લીન થઈ ગયા છે બધું આકાશમંડળ દુંદુભિના નાદવડે છવાઈ ગયું છે એવા જ્ઞાની ગુરૂ-સૂરિને નમી એમનો ઉપદેશ આપને સાંભળવા યોગ્ય છે.” વનપાલકની અમૃતથી પણ અધિક મીઠી સમયને ઉચિત વાણી સાંભળી રાજા ખુબ પ્રસન્ન થયો. તેનાં દારિદ્ર દૂર કરી મોટા પરિવાર અને ચતુરંગી સેના સાથે સૂરીશ્વરને વાંદવાને ચાલ્યો. ગુરૂ પાસે આવી ગુરૂને નમી તેમની સ્તુતિ કરી બન્ને હાથ જોડી ધર્મ સાંભળવાને બેઠે. ગુરૂએ તેમને દેશના આપી. - “હે ભો! અપાર અને મહા ભયંકર આ સંસાર રૂપી કાંતારમાં મુક્તિની ઈચ્છા કરનારા પ્રાણીઓને શુદ્ધ માર્ગ પ્રાપ્ત થવો ખુબ દુલભ છે. અનેક ઉન્માર્ગમાંથી કેઈક બુદ્ધિમાન શુદ્ધમાર્ગ શોધી કાઢે છે. કારણકે અજ્ઞાન. જો બહુધા એ કુમાર્ગોમાં મુંઝાઈને જાળમાં ફસેલાની માફક ગુંચવાઈ જાય છે છતાં શુદ્ધમાગ પ્રાપ્ત કરી શકતા નથી, આ ભવરૂપી અરયમાં શું નથી? જ્યાં ઠેષરૂપી ત્યાઘ અને રાગરૂપી સિંહ મેહરૂપી રાક્ષસના પ્રેરેલા કાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust