Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવન નેહસંબંધ 85 પરિચ્છેદ 8 મે ગિરિ સુંદર અને રત્નસાર. રાજકુમાર ગિરિ સુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्वितः / वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् // 1 // ભાવાર્થ–તીવ્ર પાપનો નાશ કરનારૂં જેમનું શાસન કાલ જયવંત વતી રહ્યું છે, તેમજ વૃદ્ધિ પામતા ગુણેના સમુદ્ર એવા ચરમ તીર્થપતિ વર્ધમાન સ્વામી જયવંત રહો. પૃથ્વીને વિષે તિલક સમાન મુંદ્રપુર નગરને અધિપતિ શ્રીબલ નામે પરાક્રમી રાજા હતો એ રાજાને શતબલ નામે નાનો ભાઈ યુવરાજ હતો. તેમને સુલક્ષ્મણ અને લક્ષ્મણ નામે બે રાણીઓ હતી. રામ અને લક્ષ્મણની માફક રાજ્ય કરતા તેઓ સ્નેહથી સાથે રહેતા હતા. સુખમાં કેટલોક સમય વ્યતીત થયો ત્યારે પટ્ટરાણી સુલક્ષ્મણાની કુક્ષીને વિષે પક્વોત્તર રાજાને જીવ રૈવેયકથી અવીને ઉત્પન્ન થયો તે સમયે પટ્ટરાણું ઉન્નત એવા મેરૂ ગિરિને જોઈ જાગ્રત થઈ. . રાજાની આગળ સ્વએ નિવેદન કરતાં રાજાએ કહ્યું. મેરૂના જે ગંભિર અને સ્થિરતાવાળે તમારે પુત્ર થશે. ગર્ભનું પાલન કરતાં રાણીને યથાસમયે પુત્રને પ્રસવ થયો. રાજાએ પુત્રનો જન્મોત્સવ કરીને સ્વમને અનુસારે તેનું નામ રાખ્યું ગિરિસુંદર, 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust