Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 362 પૃથ્વોચંદ્ર અને ગુણસાગર == આવેલાં છે ત્યાં નવે રૈવેયકનાં ત્રણસે અઢાર વિમાને આવેલા છે. દરેક વિમાને જીન ભવન હોય છે. એ દેવતાઓ વિષય કષાયથી રહિત હોય છે. તે છતાં નીચેના દેવો કરતાં તેમને અનંતગણુ સુખ હોય છે. તેમને પુરૂષ વેદોદય મંદ હોવાથી વિષય તરફ તેમનું મન જતું નથી અને તે. વિષય રહિત હોય છે. તેઓ બે હાથથી અધિક શરીરવાળા અને શુદ્ધ શુકલેશ્યાવંત હોય છે. પરિચ્છેદ 7 મેં પડ્યોત્તર અને હરિગ વનમાલા આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે ઉત્તર દિશાએ ગર્જનપુર નામે નગર હતું. એ નગરને અધિપતિ સુરપતિ નામે મહાપરાક્રમી રાજા હતો. રાજાને સતી નામની પટ્ટદેવી હતી તે પટ્ટદેવીની કુક્ષીને વિષે શુરસેન રાજાને જીવ પ્રથમ ચૈવેયકથી અવીને ઉત્પન્ન થયો. તે રાત્રીને વિષે હંસ અને સારસથી શેભાયમાન પધરને જોઈ રાણી જાગીરાજા પાસે જઈ સ્વમાન પરમાર્થ પૂછયો, " તમારે સુંદર. અને તેજસ્વી પુત્ર થશે ? રાજાનાં એ વચન સાંભળી રાજી થયેલી રાણી સારી રીતે ગર્ભનું પાલન કરવા લાગી. અનેક સારાસારા દોહદ થયા. સર્વે રાજાએ પૂર્ણ કર્યા. કંઈક અધિક નવમાસ વ્યતિકમ્યા ત્યારે શુભ ગ્રહ અને સારા નક્ષત્રના યોગે નયનને આનંદ કારી એવા મનહર પુત્રને જન્મ આપો, નિવેદન કરનારી ચેટીને રાજાએ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust