Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 369 પિતાનું ભારે અપમાન થઈ ગયું હોય તેમ રેષથી હલમલી રહેલા શસ્ત્રો સંભાળવા લાગ્યા, સાકેતપુરપતિવિદુરરાજા રાજકુમારોને ઉશ્કેરતો બે , અરે ! આ રાજાએ જે પોત્તરને બને કન્યાઓ આપવાની હતી તો અન્ય રાજકુમારોને અપમાન કરવા શામાટે લાવ્યા ? એ રાજાએ તો આપણાં નાક કાપ્યાં, . રાજાઓ પોત પોતાના સૈન્ય સહિત રણસંગ્રામ માટે આતુર થયા છતા પદ્મને મારવાને તૈયાર થઈ ગયા, જેથી ચંદ્રવજ રાજાપણ પોતાના સૈન્ય સાથે કુમારની પાસે આવ્ય, ચંદ્રવજને રણ કરવાને ઉસુક જાણ સાકેતપુરપતિનો. એક વિદ્વાન દૂત તેમની પાસે આવી વિનંતી કરવા લાગ્યું. “રાજન ! એક કન્યા તમે ગમે તે રાજકુમારને આપી રાજાઓના કેપનું નિવારણ કરે નહીતર સર્વે રાજાઓના કેપથી તમારા જામાતાનું જીવન જોખમાતાં વાર લાગશે નહિ. જે કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે તેને માટે અનેક પુરૂષરત્નનો ક્ષય કરે એ શું ડાહપણનો માર્ગ છે? ગમે તેવો શૂરવીર પણ એકલે હોય તો અનેક સુભટેથી તેનો પરાભવ શક્ય છે કારણકે કીડીઓનો સમુદાય પણ સર્પને તાણી જાય છે. બળવાન અને તેજસ્વી સૂર્યને વાદળનો સમુહ શું આચ્છાદિત નથી કરતો ! માટે વિચાર કરીને કાર્ય કરવામાં ડહાપણ છે.” દૂતની વાણી સાંભળી રાજકુમારે તેનો તિરસ્કાર કરી કાઢી મુ. ચંદ્રધ્વજ રાજા અને તેના સૈન્યને અટકાવી પોતે એકલો જ રથારૂઢ' થઈ રણ સંગ્રામમાં ધસી આવ્યું. છે.' અનેક રાજા અને તેમના સૈન્યના સમુદાયે આ એકાકી રથારૂઢ રાજકુમારને જે તે રાજા વિદુર અટ્ટહાસ્ય કરતો 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust