Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવન નેહસંબંધ 363 ખુબદાન આપી દાસીપણામાંથી મુક્ત કરી મોટે વપન મહેસવ કર્યો. વર્યાપન મહોત્સવ કરી રાજાએ પુત્રનું નામ પાડયું પક્વોત્તર, દ્વિતીયાના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો તે કલાઓમાં વિશારદ થઈ દુનિયાને આશ્ચર્યકારી યૌવનવયમાં આવ્યો. વૈભવ, ઐશ્વર્ય, અને ઠકુરાઈ હોવા છતાં દયાલુ, દાનેશ્વરી, સજનપ્રિય, શાંત, દાંત, સૌમ્યમૂર્તિ, અને દાક્ષિણ્યવાન. હતો. મિથ્યાત્વીના કુળમાં ઉત્પન્ન થવા છતાં યશની વાત પણ એને રૂચતી નહિ. બ્રાહ્મણનું ઔચિત્ય પણ માત્ર . પિતાના ચિત્તની અનુકૂળતા માટે કરતો હતો. બ્રાહ્મણના . પુરાણેની કલ્પનાકારી કથાઓ પણ એના ચિત્તને ઉદ્વેગ. કારી થતી હતી. બ્રાહ્મણના વાતાવરણમાં વૃદ્ધિ પામેલો. હેવાથી તે જૈન ધર્મથી વંચિત હતો, કારણકે ઝવેરીના સંસ્કાર વિના શુદ્ધ મણિ પણ નિર્મળપણાને પામે છે કે !. - વૈતાઢય પર્વતની દક્ષિણ એણિમાં સુભૌમપુર નામે. નગરને અધિપતિ તારેગ નામે રાજા હતો તેની કમલમાલા નામે રાણીથકી મુક્તાવલીનો જીવ પુત્રપણે ઉતન્ન થયો, સ્વમામાં સિંહના બાળકને જોવાથી તેનું નામ રાખ્યું હરિવેગ. અનુકમે વિદ્યાધરની લક્ષ્મીથી લાલનપાલન કરાતો હરિવેગ યૌવન વયમાં આવ્યું એ સમયે મથુરા નગરીના ચંદ્રધ્વજ નામે રાજાને બે સ્ત્રીઓથકી એકએક પુત્રી થઇ શશિલેખા અને સૂર્યલેખા, એ બન્ને પુત્રીઓ જ્યારે યૌવન વયમાં આવી. ત્યારે પિતાએ એમનો સ્વયંવર કર્યો. દેશદેશના રાજકુમારને આમંત્રણ કરવાને દૂતો રવાને થયા, એક દૂત ગર્જનપુર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust