Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 358 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અમારે આચાર નથી. તોપણ તું ધર્મરૂપી ઔષધને આચર, એમ કહી મુનિ ચાલ્યા ગયા. પાછળથી પુત્રની સાથે તે બ્રાહ્મણ પણ એ મુનિની પાસે આવી ધર્મરૂપી. ઔષધ પૂછવા લાગ્યો. | મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું, “ગની શાંતિને માટે પ્રથમ રોગનું કારણ જાણવું જોઈએ. એ કારણને ત્યાગ કરવાથી તેમજ ઔષધરૂપી ધર્મનું સેવન કરવાથી. સૌ સારૂ થશે, રેગના કારણભૂત, જીવહિંસા, અસત્ય ચેરી મૈથુન અને પરિગ્રહ તેમજ રાત્રીભજનને જાણી એને છોડી દેવાં. પંચપરમેષ્ટીને જાપ, કષાય અને ઈંદ્રિયનું દમન યથાશક્તિદાન, પાપની નિંદા-ગહ, એ બધાં ધર્મષધ. જાણવાં, જેના સેવનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. મુનિએ. વિસ્તારથી ધર્મના સ્વરૂપનું વર્ણન કરવાથી બ્રાહ્મણ પુત્ર - સહિત સમકિતને પામી શ્રાવકના વતને પાલનાર થયેકર્મને રેગનું મૂળ જાણી દઢ શ્રદ્ધાવાળા તેમણે ધીરજથી સહન કરતાં કાળ વ્યતીત કર્યો તેમની પરીક્ષા કરવાને પ્રથમ દેવલોકમાંથી બે દેવતાઓ વૈદ બનીને આવ્યા. તેમણે મધ, માંસ, માખણ અને દારૂથી મિશ્રિત દવાઓ ખવરાવવાના અનેક પ્રયત્ન કર્યો છતાં તેઓ પોતાના નિશ્ચયથી ડગ્યા નહિ. જેથી દેવતાઓએ પ્રસન્ન થઈ એ છોકરાને નિરોગી કર્યો. તેમનાં વખાણ કરી દેવતાઓ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લોકમાં અરેગ નામથી તે પ્રસિદ્ધ થયો. તે અરેગ ધર્મમાં વિશેષ તત્પર રહીને અનુક્રમે મરણ પામી સ્વર્ગે દેવ થયા, તે દેવ અવધિજ્ઞાને મને ધર્માચાર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust