Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 266 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર * પિતાની સામે દોડ્યા આવતા આ વિકરાળ ગજ-. રાજને જોઈ, એ નર (રત્નશિખ) સાવધ થઈ ગયે, હસ્તી. સાથે યુદ્ધ કરતો ને એને ભગાડીને-દોડાવીને થવી નાખતા રત્નશિખે શિધ્રપણે હાથીને વશ કર્યો. હાથી પરિશ્રમિત. થઈને મદરહિત થઈ ગયો. - આકાશમાંથી મનહર અને સુગંધમય પુષ્પોની. ગુંથેલી એક સુંદર પુષ્પમાળ એ વિજચી રત્નશિખના. કંઠમાં પડવાથી રત્નશિખે ઉંચે નજર કરી તો ઈંદ્રની મનોહર અસરા સમાન એણે વિદ્યાધર બાળાઓને જોઈ, એમના મુખેથી સાંભળ્યું. સારૂ થયુ, સારૂ થયુંએમ બોલતી તેણીઓ ચાલી ગઈ. રતનશિખ પણ એ પર્વત સમાન ગજરાજ ઉપર આરૂઢ થઈને પેલી સુગંધમય પુષ્પમાળથી શોભતો ઉત્તર દિશાએ ચાલ્યો. આગળ જતાં તેણે મનોહર અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર જયુ. એ જળમાં કીડા કરવાને. હાથીને છુટ મુકી પતે ભૂમિ ઉપર કુદી પડયે. એ જલનું પાન કરી સ્નાનથી શ્રમને દૂર કરતો રાજા રતનશિખ સરોવરને કાંઠે રહેલા એક મોટા વૃક્ષની નીચે બેઠે, તેની આગળ કેટલીક યુવતીઓ દિવ્ય વસ્ત્રોને લઈને આવી. દિવ્ય વસ્ત્રોને આપી તાંબુલાદિકવડે રાજાને સત્કાર કરતી તે રમણીય બોલી. " અપૂર્વ દેવ એવા આપનું સ્વાગત હો ! આપને વિજય હે. હું અપૂર્વદેવ કેવી રીતે ? ? રાજાએ વિસ્મય. પામીને પૂછયું. ઘણું કાલ સુધી સેવા કરી ત્યારે દેવતાઓ તે. જે પ્રસન્ન થયા હોય તો સુખને આપે છે ત્યારે આપે તે દષ્ટિ માત્રથી અમારી સખીને સુખ આપ્યું એ અપૂતt નહિ તો બીજુ શું ? " એક સખી બેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust