Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 307 વ્રતના મહિમાથી સિદ્ધ થાય છે, પરલોકમાં અનગળ દ્રવ્યના ભોક્તા થઈ તેને પુષ્કળ લાભ મળે છે. ચારીના નિયમ ઉપર સિદ્ધદત્ત અને કપિલનું દષ્ટાંત બેધદાયક છે તે સાંભળવાથી તમને લાભ થશે. શ્રાવિકાઓના પૂછવાથી મુનિએ તે સિદ્ધદત્તનું આખ્યાન કહેવા માંડ્યું. આ વિજયમાં વિશાળા નામની નગરીને વિષે માતૃદત્ત અને વસુદત્ત નામના બને વણીક મિત્રો અલ્પરૂદ્ધિવાળા ને સામાન્ય આજીવિકા ચલાવતા રહેતા હતા. માતૃદત્ત ત્રીજું અણુવ્રત ગ્રહણ કરેલું હોવાથી ન્યાયથી વ્યાપાર કરી દ્રવ્ય મેળવતો અને કેને ઠગવાની વૃત્તિ રાખતો નહિ.. - વસુદત્ત બોટાં તોલ, માપ વગેરે રાખી એાછું આપીને વધારે પડાવી લેવાની કુટનીતિને ધારણ કરતો વ્યાપારમાં ખુબ પ્રપંચ સેવતો હતો. એ પાપ વ્યાપાર કરવા છતાં પણ વસુદત્તનું ધન તો વૃદ્ધિ પામ્યું નહિ પણ પાપ તો વદયું હતું, એની એ બિચારાને શી ખબર હોય ? : અન્યદા તે બન્ને મિત્રો થોડાંક કરીયાણાં લઈને વ્યાપાર કરવા માટે પંડ્રપુર નગરમાં ગયા. ત્યાં વસતેજ રાજા રાજ્ય કરતો હતો, તેના ભંડાર માટે એક ભંડારીની જરૂર હતી, પણ તેને વિશ્વાસપાત્ર ભંડારી ન મલવાથી સારા ભંડારીની પરીક્ષા માટે માર્ગમાં એક રત્નજડીત ડળ સુભટ પાસે મુકાવ્યું ને આજુબાજુ સુભટે છુપાવી દીધા. રાજાના ભયથી નગરના લોકેએ તો એ કુંડળને પ્રહણ કર્યું નહિ. કેમકે જાણી જોઈને કણ મૂર્ખ હોય કે આફતને નોતરે ? માર્ગમાં આવતા પેલા બંને મિત્રોએ એ કુંડલ એવાથી વસુદત્તની દાઢે વળગી. “વાહ! શું મજાના - વ્યાપાર કરવા ન તો વૃદ્ધિ કહ્યું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust