Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 345 મૃગલાને તૃણમાં, મીનને જળમાં, તેમજ સજન પુરૂષોને સંતોષમાં પ્રીતિ હોવા છતાં, શિકારી, ધીવર અને દુર્જને એમના નિષ્કારણુ વૈરી શું નથી થતા? પ્રાયઃકરીને સ્વામીનું મન નીચ-ખુશામતખોર તરફ આકર્ષાય છે કેમકે તેલથી દીપક જે તેજસ્વી દેખાય છે તેવો ઘીથી દેખાતો નથી. નિચજન પરના કાર્યને નાશ કરવાને શક્તિવાન છે પણ કાર્યને સાધવા શક્તિવાન નથી. મુષક કપડાને ફાડવા-તોડવા સમજે છે, જોડવાને-સાંધવાને નહિ. માટે કંટકના સરખા દુજન તે તો દૂરથીજ તજવા. હે રાજન ! મારા વચનથી સાત રાત્રી પછી સૂર્યના - સ્વમથી સુચિત તારે પુત્ર થશે. આ પેગી તારા શરીરને નાશ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે માટે તું તારું ખડ્રગ એને આપીશ નહિ. તારા ખગના પ્રતાપે મારી સહાયથી તું એ મેગીને જીતી લઈશ. " એ વ્યંતરનાં વચન શ્રવણ કરી રાજા મૃતકની સાથે યેગી પાસે આવ્યો. યેગી મૃતકને જોઈ મનમાં ખુશ થયા. ગીએ રક્તચંદનને મૃતકને લેપ કરી કુણવીરની રક્ત પુષ્પની માળા આરોપણ કરાવી. મૃતકની પૂજા કરી મંડલમાં સ્થાપન કર્યા પછી રાજાને કહ્યું “હે નૃપ ! હવે - તમારું ખડગ મને આપો કે જેથી ખગ આ મૃતકના - હાથમાં ધારણ કરાવું. | વ્યંતરના વચનને યાદ કરી રાજાએ ખગ્ન આપ્યું * નહિ. યોગીએ રાજાને ઘણું સમજાવ્યો છતાં જ્યારે રાજાએ પગ ન આપ્યું ત્યારે ક્રોધાયમાન થઈને યોગી રાજાને મારવા ધસ્યો ત્યારે રાજા ગીને ગળચીમાંથી પકડતો બોલ્યો " પાપી! તારા જેવા સાધુને મારી મારૂં પુરૂષાર્થ કલંકીત કરીશ નહિ. માટે મારી નજરથી દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust