Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 346 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થઈ તારા આત્માનું રક્ષણ કર " રાજાએ યોગીની. નિર્ભર્સના કરી મુક્ત કર્યો. ભયથી વશ થયેલ યોગી રાજાને “ત્રણસંહોરણા નામનો મણિ આપીને ત્યાંથી રાજાને ખમાવી પિતાના સ્થાનકે ચાલ્યો ગયો. રાજા પણ પ્રાત:કાળ થતાં તો પોતાના રાજભુવનમાં આવી ગયે. મંત્રીઓ વગેરે આગળ રાજાએ રાત્રી સંબંધી ગીનું વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજાનું વૃત્તાંત સાંભળી મંત્રીએ ખુશી થયા. રાજાના આનંદ-હર્ષ નિમિત્તે નગરમાં મેટ મહોત્સવ કર્યો. નગરીના લોકોના આનંદની પણ વાત શી!. એ માયાવી ચગીનો વિચાર રાજાના ભાગે. પોતાની વિદ્યા સિદ્ધ કરવાનો હોવાથી એણે માયા જાળ બિછાવી રાજાને બરાબર છટકામાં લીધો હતો પણ જેનું પુણ્ય જેર કરે છે તે બળવાન છે તેને દેવતાઓ પણ સહાય, કરે છે આખરે તો ધમીનો જય અને પાપીનો ક્ષય એ. જગમાન્ય સિદ્ધાંત સાચાજ કરે છે. . તે અગીયારમા ભાવમાં આરણ દેવલોકમાં એકવીશ સાગરોપમનું આયુષ્ય, પુરૂં કરી પૂર્ણ ચંદ્ર રાજાનો જીવ સાતમી રાત્રીને અંતે ગુણમાળા પટ્ટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો મહાદેવીએ તે સમયે સ્વાવસ્થામાં સંપૂર્ણ રીત્યા સુભિત અને તેજસ્વી અર્કમંડળ જોયું. સ્વપ જોઈને જાગ્રત થયેલા દેવીએ પ્રાત:કાળે રાજાને પોતાનું સ્વમ નિવેદન કર્યું. રાજાએ. વ્યંતરના વચનને અનુસરે કહ્યું છે દેવી ! તમારે નયનને આનંદકારી રાજ્ય ભારને વહન કરનાર યોગ્ય પુત્ર થશે.” પર રાજાનાં એ અપૂર્વ વચન સાંભળી નવીન મેઘના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust