Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 313 રાત દિવસ ચિંતા કરતો રાજસેવક દિવસ વ્યતીત કરતો હતો આખરે સંકેતને દિવસ પણ આવી પહોંચ્યો ત્યારે તેણે પાછો વિચાર કર્યો. “સ્ત્રીની ખાતર હું મારા નિર્મળ કુળને કલંકિત કરીશ નહિ. રાજા પિતાને સ્વામી હોવાથી સ્વામીદ્રોહ કરવો પણ મારે શું વ્યાજબી છે? ઇત્યાદિ વિચાર કરી રાત્રીને સમયે તે નગર બહાર ચાલ્યો ગયે અને સંકેતને સ્થળે ગયો નહિ, - દૈવયોગે રાજકુમારીએ જે સમયે પેલા રાજસેવકને ' દેવમંદિરમાં આવવાનો સંકેત કરેલો તે સમયે તે રાજસેવકને બદલે સિદ્ધદત્ત એ દેવમંદિરમાં દાખલ થઈ નિરાંતે સુઈ ગયો. વિવાહની સામગ્રી લઇને રાજકુમારી પિતાની સખીઓ સાથે રાત્રીના પહેલા પ્રહરે તે દેવકુલમાં આવી પહોંચી. ભરઉંઘમાં પડેલા તે પુરૂષને રાજસેવક ધારી પોતાના કેમલ હાથનો સ્પર્શ કરી જાગ્રત કર્યો ને પોતાના ; હાથે કંકણ પહેરી ગાંધર્વ વિધિથી તેની સાથે લગ્ન કરી લીધાં - લગ્નકાર્યથી પરવારીને રાજકુમારી બેલી. “હે સ્વામી! વાહન તૈયાર કર્યું છે કે નહિ ? આપણે પ્રાત:કાળે તો ગુપ્ત રીતે પલાયન કરી જવાનું છે નહી તો રાજા જાણે તો શું થાય છે. રાજકુમારીનાં વચન સાંભળી સિદ્ધદત્ત બોલ્યો. - સવારની વાત સવારે, હવે મને નિરાંતે ઉંઘ લેવા દે.” એમ કહી કપટનિદ્રાથી સિદ્ધદત્ત સૂઈ ગયો. પણ રાજકુમારીનું મન શંકાશીલ થયું “અરે આ તો તે પુરૂષ રાજકુમારીએ દીપક પ્રકટાવીને એ પુરૂષને જોયો તો સુકુમાર અને મનોહર અંગવાળા તેને જોઈ મનમાં ખુશી થઈ એ દરમિયાન તેના મસ્તક પાસે પડેલી પુસ્તિકા તરફ