Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 329 તેણે કહ્યું, “વનમાં રક્ત દુગ્ધને આપનાર સ્તુતિ (થોર) ને જો જેથી તારું દારિદ્ર નાશ પામશે. ગુણધરે કહ્યું કે “તમે સાથે ચાલ, આપણે બને તેની તપાસ કરીયે, નિશ્ચય કરીને બને ચાલ્યા. એ થોરને શૈધતા તેઓ આગળ જંગલમાં ગયા ત્યાં એ સ્તુહિને જોઈ. સિદ્ધિગ આવ્યો ત્યારે શુભ દિવસે પરિવ્રાજક એ સ્તુહિને અભિમંત્રી એક કુંડ બનાવી એમાં અગ્નિ પ્રજવલિત કર્યો. ઉત્તમ એવા સુગંધમય કાષ્ટમાં એ સ્તુહિને સપ્તરીતે ગુણધરના મસ્તક પર સ્થાપન કરી, ગુણધરને અગ્નિકુંડમાં હોમવાને તેને હાથ ગ્રહણ કરીને ચાલ્યો. ગુણધરને પણ વહેમ આવ્યો કે રખેને મને આ કાયાલિક અગ્નિકુંડમાં હમે. ) કાયાલિકના પંજામાંથી બળવડે છુટવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો બન્ને અરસપરસ હોંશા શી કરતા લડતા હતા, તેમ કરતાં તેઓ અગ્નિકુંડ સમીપ આવી પહોચ્યા. તેમની લડાઈ જોઈ કેઈ ગોવાળીયો બૂમો મારવા લાગ્યો, તેની બૂમ સાંભળી મૃગયા રમવાને નિકળેલો કે રાજકુમાર ત્યાં આવી પહો. ગુણધરે પિતાની દુ:ખ કથા કહી સંભળાવવાથી રાજકુમારે ગુસ્સે થઈ પેલા કાયાલિકની નિર્ભસના કરી. સ્તુહિ તેના મસ્તકપર સ્થાન કરી કાયાલિકને અગ્નિકુંડમાં હોમી થડક ભાત આપી વિસર્જન કર્યો ને રાજકુમાર એ સુવર્ણ પુરૂષ લઈ પોતાના સેવકે સાથે પોતાના રાજ્યમાં ગ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust