Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 285 રાજકુમારને નમસ્કાર કરી પુષ્પાકુમારી તરફ માં કરીને બોલી. “હે વજો ! તારા વિના તારી માતા ભેજન કરતી નથી માટે સત્વરે ઘેર ચાલો. ધાવમાતાના વચનથી પુષ્પા સખીઓ સાથે ઘેર ચાલી ગઈ પણ તેનું મન તો રાજકુમારની પાસે જ મૂકીને ગઈ. રાજકુમારના દર્શનની પુન:અભિલાષાવાળી બાળા. દુ:ખે દુ:ખે પણ પોતાના મકાન તરફ ચાલી ગઈ. - સખીઓએ તેની માતાને તેના દિલની વાત કહી. સંભળાવવાથી તેની માતાએ પણ એને આશ્વાસન આપ્યું. એની માતાએ પ્રિયંવદા નામે સખીને બધી વાત સમજાવી.. પ્રિયંવદા પુષ્પા પાસે આવીને તેને આશ્વાસન આપતાં બેલી. “સખી ! ચંદ્રની એક કલા પણ પ્રાણીએને સુખ આપે છે. ત્યારે આ કુમાર પૂર્ણચંદ્ર હોવા છતાં તને કેમ સુખ નથી થતું?” સખી પ્રિયંવદા ! આજે મારું મન કોણ જાણે કેમ ભમી રહ્યું છે તેને કંઇક ઉપાય બતાવને ? પુષ્પા સુંદરી બેલી. . “હે સ્વામિની ! તને સુખ કરનારી એક વાત કહું તે સાંભળ, જે સાંભળવાથી તારૂં મન પ્રસન્ન થશે-શાંત થરો. પ્રિયંવદા મનમાં કાંઈક નિશ્ચય કરીને બેલી, : કહે. >> આતુરતાથી બાલા પુષ્પા પિતાને લગતી , વાત સાંભળવાને તૈયાર થઈ " - ગઈ કાલે તારી ફઈને તારા પિતાએ કહ્યું હતું કે આ અમારી પુત્રી પૂર્ણ ચંદ્રને યોગ્ય છે. બન્ને રૂપ, ગુણ : અને વચ્ચે એક બીજાને યોગ્ય હોવાથી એમને સંબંધ પૂણ સુખવાળા થશે, પરન્તુ અત્યારે તો બન્ને વિવાહની - વાત પણ સાંભળતાં નથી તેમજ તેમને અન્ય અન્ય : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust