Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ * 300 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગમનની વાત કબુલ કરાવી. તે પછી એક દિવસે માતા પિતાને કહ્યા વગર તેઓ ખાનગી રીતે નગરમાંથી નિકલી ગયા, | માર્ગમાં જતાં ધરણે વિચાર કર્યો. મોટે ભાઈ કદાચ પાછો ઘેર જાય તો તે સારૂ નહિ. માટે એ ઘેર ન જાય એવો ઉપાય કરૂં.” એમ ચિંતવીને ધરણ બો -હે ભાઈ ! જગતમાં મનુષ્યને ધર્મો જય છે કે પાપે જય.” - ધરણની વાત સાંભળી અચંબો પામી ધન્ય , અરે શું તું એટલુંય નથી જાણતા કે જગતમાં ધમેં જય અને પાપે ક્ષય છે. ) " અરે આતો તમે જગતની ઉક્તિ કહી છે પણ તત્વ તો તમે જાણતા નથી. આજકાલ જય તો પાપથીજ થાય છે ધર્મથી નહિ. * ધરણે પિતાને ક ખ કરવા માંડે બન્ને ભાઈઓ એ રીતે વિવાદે ચડયા ત્યારે ધરણે કહ્યું કે, “આગળ જે ગામ આવે ત્યાં લેકને પૂછી આપણે નિર્ણય કરીશું પણ એમાં જે ખોટ પડે તે જીતનારને એક લોચન આપે.” ધન્ય તે વાત કબુલ કરી, " જો કે મારે પક્ષ સાચે છે છતાં હું નાના ભાઈનું લોચન લઈશ નહિ. વિચાર કરતા તેઓ આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. એ લોકેએ કહ્યું કે, ભાઈ આજે તો પાપ થકી જય દેખાય છે ધર્મથી નહિ, આ અજ્ઞાની અને ભૂખ લેકેની વાણી સાંભળી ધરણ રાજી થયો. બીજે દિવસે ત્યાંથી આગળ જતાં તેમણે માર્ગમાં બીજી ચક્ષનું પણ કરીને આગળ જતાં કેઈ ગામ આવ્યું ત્યાં લોકોને પૂછયું, તો તેઓ પણ બોલ્યા કે " આજે તો ધમી સીદાય છે ત્યારે પાપીના પોબાર છે પંડિત પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust