Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ | 278 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર | નવમા દેવલોકના દેવો મન પ્રવિચારી હોય છે એટલે ત્યાં દેવીઓનું ગમન હોતું નથી જેથી તેઓ મનવડે કરીને વ્યભિચાર-સુરત સુખના ભોગવનારા હોય છે. જે દેવીની. તેઓ ઇચ્છા કરે છે તે દેવી પણ પોતાના સ્થાનકે રહીને મન વડે તે દેવને પિતાનો વિષય કરે છે-ચિંતવન કરે છે છતાં તેમને અનંતગણું સુખ થાય છે. તેમના એક નાટકમાં અસંખ્યાતો કાળ યાને હજારો વર્ષ વહી જાય છે એવા. સુખમાં તેઓ જતા એવા કાળને પણ જાણતા નથી. . પરિચ્છેદ પામો પૂર્ણચંદ્ર અને પુષ્પસુંદરી નવમા ભવમાં. * सर्वार्थसिद्धिदातारं, त्रातारं सकलांगिनाम् / नत्वा शंखेश्वरं पार्श्व, पंचमः सर्ग उच्यते // 1 // ભાવાર્થ-જગતના સર્વે અર્થ અને કામની સિદ્ધિને આપનારા તેમજ ભવ્ય જીવેનું સંસારના ભય થકી રક્ષણ કરનાર શ્રી શંખેશ્વર પાશ્વનાથને નમસ્કાર કરીને હેલે પાંચમે સર્ગ–પાંચમો પરિછેદ કહેવાય છે. જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલ નામે સાતમી. - વિજયને વિષે શિવા નામે નગરીના અધિપતિ, સિહે. સમાન પરાક્રમી, અને નામ પ્રમાણે ગુણવાળા સિદ્ધરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust