Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ = - 194 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બળી મરવા તૈયાર થાય તો એમાં અમારી અનુમતિ છે. ભલે એ બંન્ને જણ અગ્નિભક્ષણ કરે. | મંત્રીની વાણી સાંભળી ચારે રાજકુમારે વિચારમાં પડ્યા. “અહો ! આ મંત્રીનું બુદ્ધિબલ તે જુએ? અમારે વિવાદ એ બુદ્ધિશાળીએ આપોઆપ ભાગી નાખે. તેય અમારૂં માન પણ ખંડિત કર્યા વગર, : રાજકુમારે એ દુભાતા હૃદયે રાજબાળાને અનુમતિ આપી. રાજકુમારી એ પણ યાચકોને દાન આપીને ચિતામાં પ્રવેશ કર્યો. ચારે બાજુએથી અગ્નિ પ્રજ્વલિત થયે ધુમાડાથી ચારે કેર અંધકાર છવાઈ રહ્યો. એની સાથે કાષ્ટ ભક્ષણ કરવાની રાજકુમારેમાંથી કોઈની હિમ્મત ચાલી નહિ પણ લલિતાંગ આકુળ વ્યાકુળ છતાં “અનાથ એવી મારી પ્રિયાને શું અગ્નિ બાળી નાખશે ? એના વગર મારે જીવિતનું પણ શું પ્રયોજન છે ?એમ વિચારતો ચિતામાં પડવાને તૈયાર થશે. મંત્રી, સામતાદિકે વાર્યા છતાં તે એકદમ ચિંતામાં કૂદી પડે. બધાને વિમય પમાડતો લલિતાંગ એ ધુમાડાથી ઘનઘોર ચિતામાં બળી મરવાને પ્રિયાને સાથીદાર થયો. * “અરે ! અરે ! આપ આ શું કરે છે ? મારા જેવી એક તુચ્છ સ્ત્રીની ખાતર આપ જેવા નરરત્નને અકાળે મરણ ન ઘટે. રાજકુમાર લલિતાંગને ચિંતામાં પડતા જોઈ સ્નેહલ્લાસપૂર્વક રાજબાળા બેલી. - ચિતામાં એ બનેની ચારેકોર અગ્નિની જવાળાએ સળગી રહી હતી. ધુમાડાથી આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું, એવા ભયંકર મૃત્યુની પરવાહ કર્યા વગર લલિતાગ પ્રિયાને જવાબ આપવા લાગ્યો, તે દરમિયાન એક બનાવ બન્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust