Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 205 દેવપણે ઉત્પન્ન થયા, ઉન્માદયંતી સાધ્વી પણ સંલેખના પૂર્વક સમાધિથી કાલ કરીને તેજ દેવની દેવી પણ ઉત્પન્ન થેઈ. ઇશાન દેવલોકમાં અઠ્ઠાવીશ લાખ વિમાને રહેલાં છે. તેમના શાસક ઈશાનેં બે સાગરોપમથી અધિક આયુષ્યવાળે અને સાત હાથના શરીરને ધારણ કરનારે પ્રચંડ શક્તિશાલી છે. વિમાનમાં દરેક વિમાને એક એક જીન ચૈત્ય હોય છેદરેક ચિત્યમાં એકસોએંશી જીન પ્રતિમા શાસ્વતાપણે રહેલાં છે. ત્યાં પણ જીનેશ્વરની ભક્તિ કરતો. ને વિહરમાન જીનેશ્વરને વંદન, નમન કરતા તે દેવ પિતાની દેવી સાથે સુખમાં કાલ વ્યતીત કરવા લાગે; વૈકિય લબ્ધિ વડે ભિન્ન ભિન્ન શરીરની રચના કરતો તે વિવિધ ભાગોને ભગવતો હતો, દેવતાઓનાં રૂપ, એમનાં સૌભાગ્ય, એમની અપૂર્વ દ્ધિ અમાપ, અખુટ હોય છે. એની રૂદ્ધિ સમૃદ્ધિની આપણે શી કલ્પના કરી શકીએ. એમને રહેવાનાં વિમાનો. પણ મણિરત્નોથી જડેલાં હોય છે; રત્નથી નિમિત એ. વિમાનોના સ્થભે હોય છે એ બધુંય દિવ્યશક્તિવાળું અને શાશ્વત હોય છે. વૈકિય શરીરથી ભેગો ભોગવતા તેમને કંઈ જુગના જુગ વહી જાય છે છતાં તેમના ભાગની સમાપ્ત થતી નથી. તેમના ફક્ત એક નાટકમાં પણ સેંકડો વર્ષો વહી જાય છે તેઓ મન ચાહે તેવાં રૂપ ધારણ કરી ભાગ ભોગવી શકે છે. એવા એ દિવ્ય શક્તિને ધારણ, કરનારાના સુખની કેટલી વ્યાખ્યા કરીયે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust