Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવનો સનેહસંબંધ 213. “હે સ્વામિનિ ! શેક ના કરો. બીજાની આપેલી વસ્તુઓથી હમેશાં સુખ રહેતું નથી. માટે એવા લાભાલાભમાં ડાહ્યા પુરૂષે હર્ષશોક કરતા નથી. એવી અપમાન જનક પરાશા રાખવામાં ફાયદો પણ શે ! તેથી સજન પુરૂષો સંતોષને ધારણ કરી ગમે તેવી અવસ્થામાં પણ પોતાને સુખી માને છે. સખીએ દિલાસો આપો. * સખીની વાત સાંભળીને ચંદ્રકાંતા કહેવા લાગી. હે સખી! પારકી આશ સદાય નિરાશા ! પર આશા ઉપર જીવનનું જે અવલંબન છે તે પરાભવનું સ્થાનક છે, જે શબ્દાદિક કામભેગો બીજા પાસેથી પ્રાર્થના કરીને ભાગવવા ઇચ્છે છે તે પંચૅકિયના પરાધિનપણાથકી નિશ્ચયપણે પરાભવ પામે છે. એ ભેગોને ભાગવ્યા છતાં પણ પ્રાણીઓ તૃપ્તિને પામતા નથી, તો પછી ભોગવ્યા છતાં એવા ભેગોનું અભિમાન પણ શુ ! જરૂર આ બધા મેહના Tલાસે માત્રજ છે. માટે હું તો હવે સ્વાધીન એવી પ્રવ્ર વ્યાનેજ અંગીકાર કરીશ, પરાધીન એવા આ કામ ભાગોથી સ. 7 - ચંદ્રકાંતાન વૈરાગ્યયુક્ત વચન સાંભળીને સખીઓ એના ચરણમાં નમસ્કાર કરતાં બોલી. “હે મહાદેવી! પૃથ્વી ઉપર દેવસેન ભુપાળ રાજ્ય કરે છે તે આપને કાંઈ પરાવનિ નથી, માટે આવું હસવાયોગ્ય બોલવું તમને યોગ્ય નથી.” A “અરે ! આ સંસારનું સુખ મેં જોયું, સ્નેહીજનોને નેહે પણ જે. મુખે મધુરાં પણ પરિણામે કિપાકના ફિલસમાન કડવા વિષાકવાળાં આ ભવસુખમાં સજ્જન જાણ્યા પછી કાંઈ લબ્ધ થતા નથી. કારણકે ધર્મને ત્યાગ કરીને જે વિષયોની અભિલાષા કરે છે તે અમૃતને ત્યાગ કરીને વિષનું જ ભક્ષણ કરે છે. કહ્યું છે કે Jun Gurt Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.