Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 226 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મયુરે નૃત્ય કરી રહ્યા હતા, અશ્વોની ખરીઓથી આકાશમાં ઉડતી ધુલિ ગજરાજોના મદજલથી સિંચાતી છતી આદ્રતા ધારણ કરી રહી હતી, નગરીના રમણીય અને વિશાળ ઉંચા પ્રાસાદો નામંડલ સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હેય ને શું ! - એ રમણીય અને વિશાળ દેશને ઘણું વિમલકીર્તિ નામે રાજા, એના અંત:પુરની રાણીઓમાં પ્રિયમતી નામ પટ્ટરાણી, તેની કુક્ષિને વિષે સાતમાં સ્વર્ગથી ચ્યવીને વસિંહને જીવ ઉતન્ન થયે, પટ્ટરાણીએ સ્વમામાં સુશેભિત અને શણગારેલે દિવ્ય રથ જે, એ સ્વમ રાજાને કહેવાથી રાજાએ કહ્યું, “તમારે ઉત્તમ, રાજભેગને યોગ્ય સુલક્ષણવંત પુત્ર થશે. પતિના વચનથી હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પોષણ કરવા લાગી. પૂર્ણ દિવસે શુભગ્રહના યોગ આવ્યું છતે રાણીએ પુત્રનો જન્મ આ રાજાએ મેટે જન્મમહોત્સવ કર્યો. બારમે દિવસે સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ રાખ્યું દેવરથ. દેવરથ રાજકુમાર દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યું યોગ્ય વયનો થતાં શસ્ત્ર અને શાસ્ત્રની કળાને અભ્યાસ કરી તેમાં નિપુણ થયે, સુંદર આકૃતિવાળે તે રાજકુમાર સરલ, શાંત, સંતોષી, દયાળું સત્ય ભાષી સજજનેને પ્રિય મધુર વાણી ખેલનાર એવા અનેક ગુણેએ કરી ગુણવાન થયો. અનુક્રમે કામદેવને ક્રીડા કરવાને નંદનવન સમાન યૌવનવયમાં આવ્યો, જીવનને આનંદ આપનારું યૌવનવય છતાં લલિત લલનાએ દેવરથને પિતાના નેત્ર કટાક્ષથી મોહ પમાડી, શકી નહિ, વિષયેથી વિરક્ત એ તે કુમાર પેતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust