Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 248 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે, ચંદન ઉપર નહિ ધનની અર્થી એવી વેશ્યા ચંડાલને પણ ઇચ્છે છે. અરે કોઢીયા સાથે પણ જે દ્રવ્ય લાભ થતો હોય તો રમે. નીતિને જાણવા છતાં પણ સુમિત્રે કેટલોક - સમય રતિસેનાના સહવાસમાં પસાર કર્યો, મણિના પ્રભાવથી ભૂષણ, અલંકાર વગેરેથી એણે કુદિનીની મહા ઈચ્છાને પણ પૂર્ણ કરી. વારંવાર એ પ્રમાણે કુદિનીની ધનેચ્છા પૂર્ણ થવાથી એ દુષ્ટ કુટિની વિચારમાં પડી છે કે “અહ ચિંતામણિ રત્ન વગર આટલું બધું ધન કેણ આપી શકેકઈ પણ ઉપાયથી એની પાસે મણિ મારે - પડાવી લેવો જોઈએ. એ પ્રમાણે દુષ્ટ કુદ્ધિની અનુકુળ સમયની રાહ જોવા લાગી. : અન્યદા પોતાનાં વસ્ત્ર દૂર મુકીને સુમિત્ર સ્નાન કરવાને બેઠે, તે સમયને લાભ લઈ પેલી કુટિનીએ એનાં વસ્ત્રો તપાસવા માંડ્યાં, તો એક વસ્ત્રને છેડે મણિ બાંધેલા હિતે આ દુષ્ટાએ છેડી લઈ સંતાડી દીધો. : કદિનીએ ધનની માગણી કરવાથી સુમિત્રે એકાંતમાં - જઈ પેલા મણિની પૂજા કરવા માટે તપાસ કરી પણ તે નહિ મલવાથી ખિન્ન ચિત્તવાળા તેણે ઘરના માણસની જડતી લેવા માંડી. તેની આવી ચેષ્ટા જોઈ ગુસ્સે થયેલી પેલી કુટ્ટિની સુમિત્રને ધમકાવતી બોલી. “અરે ! તારી પાસે ધન ન હોય તો સર્યું, અમારા ઉપર ખાટાં આવી ના મુક, 2 એ કુટિનીની કટિલતાથી સુમિત્રે વિચાર્યું. “નક્કી આ દૃષ્ટાએ જ મારે મણિ હરી લઈ તસ્કરવિદ્યા ચલાવી છે. - હવે શું થાય ? શું રાજાની આગળ ફરીયાદ કરૂં ? અહીંયા - હવે આ દુષ્ટા મને રહેવા દેશે પણ નહિ. માટે અત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust