Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ - ૨પર - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરભી યુગલની કથા પરિવ્રાજકના વચનથી શંકાશીલ થયેલો શ્રેષ્ઠી પણ ધીરજ છોડીને પરિવ્રાજકની પૂઠે દેડ, એકાતમાં એ પરિવ્રાજકને નમી હાથ જોડી એની સ્તુતિ કરતો બે . કૃપા કરીને આપ કહો. મારું અહિત જે દેખાતું હોય તે સ્પષ્ટતાથી કહે ?" “કંઈ કહેવાય તેમ નથી, એક તરફ વ્યાધ્ર અને બીજી આ તરફ નદી ના ન્યાયે આવી બાબતમાં મારા જેવા ઉત્તમ સાધુઓએ પડવું જોઈએ નહિ, તપસ્વીની વાણીથી અધિક શંકાશીલ થયેલા તેણે પૂછયું. “આપ જરૂર મને કહો. આપ જેવા મહાન પુરૂષોનો ભક્ત હોવા છતાં હું દુ:ખી થાઉં એ શું તમને *ઈષ્ટ છે?”.. “એકાંતે મારે વિષે ભક્તિવાળા તને મારે કહેવું જોઈએ, જે સાંભળ, તારી કુલક્ષણવાળી પુત્રીએ તારા કુળનો ક્ષય કરનારી છે. એ જાણીને સરસ અને સુંદર ભોજનમાં પણ મારું મન લાગ્યું નહિ, તારી વારંવાર પ્રેરણા છતાં હું ભેજનનો સ્વાદ પણ લઈ શકે નહિ અફસોસ ! " ત્યારે એને ઉપાય ??? આતુરતાથી શેઠે પૂછયું, “એને ઉપાય તો બની શકે-શાંતિ પણ થઈ શકે પણ તે તારાથી બની શકે તેમ નથી. પરિવ્રાજકે એને -ડામાડોળ બનાવી દીધો. કુળની શાંતિ માટે કઠીણકાર્ય પણ હું કરીશ આપ શાંતિથી કહે, >> P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust