Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ એકવીશ ભવને નેહસંબંધ 247 સુમિત્રને નહિ જેવાથી વીરાંગદ રાજાએ મંત્રીઓને કહ્યું “પણ મારો મિત્ર મારી પાસે હતો તે અત્યારે કયાં છટકી ગયે ? મંત્રી! તેની જલદી શેાધ કરાવો.” મંત્રીના મેલેલા સર્વે સુભાએ નગરમાં અને બહાર તપાસ કરી પણ ક્યાંય ન મલવાથી પાછી આવી નિરાશાજનક સમાચાર કહી સંભળાવ્યા, - મિત્રના વિયોગથી વ્યગ્રચિત્તવાળા રાજાએ મંત્રીઓના આગ્રહથી મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો, અને મંત્રીઓએ તેનો રાજ્યાભિષેક કર્યો, તે સાથે આઠ રાજકન્યાએને પણ પરણાવી. દેવાંગના સમાન એ રૂપવતી લલનાએ સાથે કીડા કરતો વીરાંગદ સુખમાં કાલ નિગમન કરતો હતો, અખંડ શાસનથી ઉત્તમ રાજાની માફક રાજ્યને પાલવા છતાં એ સુખમાં પણ મિત્રવિયોગરૂપ કંટક રાજાના હૃદયમાં અહનિશ ખટક્યા કરતો હતો, મહાશાલ નગરમાં મેજથી કીડા કરતા સુમિત્રને એક દિવસ નરરિણી રતિસેના નામની વેશ્યાએ જોયો, સ્નેહ રૂપી મીઠી નજરથી વારંવાર તેને જોવાથી પુત્રીની મમતા જાણીને તેની વૃદ્ધમાતાએ સુમિત્રને પોતાની પાસે બોલાવ્યા. સૌમ્ય આકૃતિવાળા જાણી તેણીએ પણ તેનો સત્કાર કર્યો. રતિ સેનાના નેહપાશમાં બંધાયેલ સુમિત્ર પણ પોતાને સમય ત્યાં જ સુખમાં નિર્ગમન કરતો. એની દ્રવ્ય ઈચ્છાને પેલા મણિના પ્રભાવથી પૂરવા લાગ્યો. કવચિત ગુણવાન પુરૂષો પણ નારીના કટાક્ષ બાણે વીંધાયા છતા પાપ માર્ગે ચાલ્યા જાય છે. ગણિકામાં સાચે પ્રેમ હોતો નથી. જ્યાં લગી પૈસે હોય છે ત્યાં સુધી જ એ સંબંધ રાખે છે. પણ ગુણવાનના ગુણેની એને કદર નથી. માખી છે તે દુધમય એવી વિષ્ટા ઉપર જ બેસે સમય પ્રભાસપાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust