Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 233 એકવીશ ભવને સ્નેહસંબંધ ને વગાડતો એક ગંધર્વ બની ગયો. હાથમાં વીણાને વગાડતો તે વિરૂપ ગંધર્વ લેકેને ખુશી કરતો નગરમાં ચા. અનુક્રમે તે સ્વયંવર મંડપમાં પ્રવેશ કરી વીણાવગાડતો સર્વનાં મન રંજન કરવા લાગ્યો, યથાસમયે સખીઓના પરિવાર સાથે મનહર વસ્ત્રાલંકારથી સજજ બાળા રત્નાવલી સ્વયંવર મંડપમાં પોતાના નાજુક હસ્તકમલમાં સુંદર વરમાળને ધારણ કરતી ને મંદમંદ ડગલાં ભરતી આવી પહોચી. શાંતિનું મોજુ બધે ફરી રહ્યું, બધાય રાજકુમારની દ્રષ્ટિ એ રાજબાળા ઉપર પડી ને ત્યાંજ એ સૌંદર્યરૂપ સૌરભમાં સ્થિર થઈ ગઈ, તેઓ પોતપોતાની કલ્પના પ્રમાણે હૃદયમાં એના રૂપગુણનું વર્ણન કરવા લાગ્યા, - અનેક રાજકુમારોની દૃષ્ટિ પોતાના ઉપર સમકાળે પડવા છતાં પણ ગભરાયા વગર પૈર્યથી ડગલાં ભરતી રાજ તનયા રત્નાવલી મંડપમાં આવી, એક નિપુણ દાસી રાજકુમારના રૂપ, ગુણ અને શક્તિનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તે તે રાજકુમારને છોડીને મંડપમાં બાળા આગળ વધતી ગઈ. રાજબાળાને વરવાને આતુર થયેલા રાજકુંવરોને નિરાશ કરતી બાળા મંડપના અનેક રાજકુંવરનાં વર્ણન સાંભળતી પણ કોઈના તરફ એનું મન આકર્ષાયું નહિ. વરમાળ એના હાથમાં રહી ગઈ. બધાય રાજકુમારના મનમાં ગમગિનીને ઉદાસીનતા છવાઈ ગઈ. - તે છેક છેલ્લા આસન સુધી આવી ગઈ પણ એની વરમાળ કેઇના કંઠમાં આરપાઈ નહિ. હીરા, માણેક અને રોના અલંકારથી ઝળહળી રહેલા બધાય રાજકુમારે એને વેંતીયા જેવા લાગ્યા હશે, રૂપવાન અને ગુણવાન રાજકુમારો એને મન કેડી સમાન હશે, પોતાની દૃષ્ટિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust