Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 138 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો ને એના વિયોગની પીડાને ભેગવતો તે દુ:ખીદુ:ખી થઈ ગયે. શાંતિના શિતળતાના અનેક ઉપચારો કરવા છતાંય વેદરૂચિનું દુ:ખ ઓછું થયું નહિ. ત્યારે એના મિત્રો મારફતે સર્વે હકીકત જાણી એના પિતા દશર્મા બ્રાહ્મણ પુત્રના દુ:ખથી દુ:ખી થઈને સુઘોષ પુરોહિત પાસે આવ્યો તેણે પોતાના પુત્રને માટે ગુણસુંદરીની માગણી કરી. ' વેદશર્માની વાત સાંભળી સુષ પુરોહિત બેર્યો. પંડિતજી ! આપની વાત તો ઘણી મજેહની છે પણ જરાક અસુરૂ થઈ ગયું. શ્રાવસ્તી નગરના રાજ પુરોહિતને 'પુત્ર પુણ્યશર્માને મેં ગુણીને અર્પણ કરેલી છે, તેની સાથે વિવાહ કરેલ હોવાથી હવે એ બીજાને આપી શકાય નહી. મેટાનું વચન અન્યથા થઈ શકે કે 92 - સમજુ અને જાણકાર વેદશમ સુધેષ પુરોહિતની વાત સાંભળી નિરાશ થઈ ચાલ્યો ગયો, પણ વેદરૂચિ ગુણેસુંદરીને ભૂલી શકે નહિ. જેમ જેમ એ ભૂલવાનો પ્રયત્ન કરે તેમ તેમ વેદરૂચિ કામથી અધિક સંતપ્ત રહેવા લાગ્યો એના માતા પિતાએ ગુણસુંદરી કરતાં રૂપગુણમાં અધિક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી આપવાની તત્પરતા દેખાડી. પણ ગુણસુંદરીમાં રત થયેલે વેરૂચિ કાંઈ પણ સમયે. " નહિ, એણે અનેક વશીકરણના, મોહિનિના મંત્ર સાધ્યા; દેવતાઓની ઉપાસના કરી. માનતા કરી છતાં ન તો ગુણસુંદરી મલી કે ન તો દેવતા પ્રસન્ન થયા. પુણ્ય વગર જગતમાં શું કાંઈ મલી શકે છે ? - યથા સમયે ગુણસુંદરીને પુણ્યશાળી પુણ્યશર્મા પરણીગયો. વિધિપૂર્વક એ ગુણસુંદરીને ગ્રહણ કરી પુણ્યશર્મા પોતાને નગર પણ ચાલે ગયે પુણ્યવાનને જગતમાં શું નથી મલતું ? પાપીને જ જગતની વસ્તુઓ માટે તરફડવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust