Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 148 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાની ગુરૂની વાણી સાંભળી રાજા શ્રી કેતુ (ચંપાપતિ)નાં મિથ્યાત્વ પડલ દૂર થતાં એનાં જ્ઞાન નેત્રો ખુલી. ગયાં. “હે ભગવન ! એમનાં જીવિતને ધન્ય છે કે જેમનાં વૃત્તાંત પણ એકાંતે હિતકારી અને મનોહર છે, હું તે. પાપરસિક, સતીને સંતાપનાર, મહાન દુરાચારી છું છતાંય. મારું પુણ્ય જાગ્રત છે કે આપને ધર્મોપદેશ સાંભળવાને હું ભાગ્યવાન થયો છું. હે ભગવન! આજથી એ દર શીલવ્રત મારે હે. યાવત્ જીવન પર્યત મારે એ વ્રત. મંજુર છે.” . વિનયંધર શેઠ હાથ જોડી બોલ્યા, “હે ભગવન ! આપના ધર્મોપદેશથી અમારે સાંસારિક મેહ નષ્ટ થયેઅમને ચારિત્રરન આપીને અમારે ઉદ્ધાર કરે !" “તમારે માટે તે ગ્ય છે માટે સારા કાર્યમાં વિલંબ. કરે નહિ.” ગુરૂએ અનુમતિ આપી. ગુરૂને વાંદીને સર્વે પિતતાને સ્થાને ગયા. વિનયંધર શેઠ ચારે પ્રિયાએ. સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ અપૂર્વ અવસર જોઈ શ્રી કેતુની દીક્ષાની ભાવના પણ વૃદ્ધિ પામી. મંત્રીઓએ સમજાવવા છતાં એની ઉત્તમ ભાવનાને વેગ અટકી શકે નહિ. છમાસના ગર્ભવાળી પટરાણી વૈજયવંતીને રાજગાદી ઉપર અભિષેક કરી રાજાએ પણ વિન ચંધરની સાથે દીક્ષા ગ્રહણ કરી, રાજા, વિનયંધર, એની ચારે પ્રિયાઓ તેમજ બીજા કેટલાક ભાવિક પુરૂષોની એ પ્રમાણે દીક્ષા થઈ ને જયજયકાર વત્તી રહ્યો. પછી તે ગુરૂ મહારાજ પરિવાર સાથે. વિહાર કરી ગયા. . ગર્ભનું પાલન કરતાં વૈજયવંતી રાણીને એક પુત્રીને પ્રસવ થયો. પુત્રીના જન્મથી દુ:ખી થયેલી રાણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust