Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 153. એકવીશ ભવને સ્નેહસંબંધ તમારા માતા પિતા જે દુ:ખ ભોગવે છે તેનું વર્ણન કરવાને કઈ શક્તિમાન નથી. એવા દુ:ખમાં સમય વ્યતીત કરતાં હાલમાં તમારા ગુણેનું વર્ણન કેઈક વૈતાલિકના મુખેથી સાંભળી કંઈક સ્વાધ્ધ પામેલા રાજાએ મને આપની પાસે મોકલ્યો છે માટે હે દેવ ! આપના દર્શનથી હવે આપ માતાપિતાને રાજી કરો ?" દૂતની વાણી સાંભળી રાજા વિચારમાં પડયા. “અહા ! માતાપિતાને મારી ઉપર ગાઢ સ્નેહ છે કે જેથી આટલે દીર્ઘકાલ જવા છતાંય તેઓ મને ભૂલ્યા નથી, હું તો રાજ્ય અને રમણીમાં માતાપિતાને ભૂલી ગયો છું છતાં હવે મારે ત્યાં જઈને માતાપિતાના મનને હર્ષ પમાડ જોઈએ. રાજાએ વિચાર કરી મતિવર્ધન મંત્રીને રાજ્ય ઉપર અધિષ્ઠિત કરી પોતાના વતન જવાની મેટા આડંબર પૂર્વક તૈયારી કરી. અનેક હાથી, ઘેડા, રથ, પાયદળરૂપ ચતુરંગી સેના તથા પિતાની પ્રિયા સહિત કમલસેને પ્રસ્થાન કર્યું. માગમાં અનેક રાજાઓના ભટણને સ્વીકારતો, તેમની મહેમાનગતિનો સ્વાદ ચાખ કમલસેન પોતનપુરના માર્ગ ચાલે. અનેક નગર, શહેરના લોકથી જોવાતે, દીન અને દુ:ખી જનોના દુ:ખને દૂર કરતો, જીનમંદિરોમાં જાને રચાવતો તેમજ જીર્ણ એવા જીન પ્રાસાદને sફાર કરતો રાજા, જન શાસનની પ્રભાવના વધારતે ઉતારોજા કમલસેન ચતુરંગી સેના સહિત પ્રયાણ કરતા એ પોતનપુરના સીમાડે આવી પહોંચે, એ દિશવિ પુત્રના આગમનને વૃત્તાંત જાણી માતા પિતાના ૧૯ષને કાંઈ પાર ન રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust