Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 164 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પર પણ એના પૂર્વ ભવના પતિની આપણને શી રીતે ખબર પડે ! આપણે એને શી રીતે શેધી શકીયે કે જેથી તેઓ બન્નેનો મેળાપ થાય? ( રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડ્યો. મહારાજ! એક રસ્તો છે. " - “શે?”રાજાએ આતુરતાથી મંત્રીની સામે જોઈ પૂછયું. દેશદેશના રાજકુમારોનાં ચિત્રો તૈયાર કરાવી રાજકુમારીને બતાવો એ રાજકુમારેમાં જે એને ભવાંતરને પતિ કઈ હશે તો એને જોતાંજ રાજકુમારી તુરતજ પ્રેમ ધારણ કરશે.” મંત્રીની દલીલ રાજાના હૃદયમાં ઉતરી ગઈ રાજાએ ચિત્રકારોને બોલાવી રાજકુમારોની છબીઓ આલેખી લાવવાને દેશપરદેશ રવાને કર્યા. તેમણે અનેક રાજકુમારનાં ચિત્રપટ રાજાની આગળ હાજર કર્યા. રાજાએ એ દરેક ચિત્રપટે રાજકુમારીને જોવા માટે મોકલાવ્યાં. આ રાજકુમારીએ બધાં ચિત્રપટ ઉપલક દૃષ્ટિએ જોઈને દૂરથીજ હડસેલી દીધાં અને કેઈની તરફ એનું આકર્ષણ થયું નહિ. દરમિયાન એક દિવસે મિથિલાનગરીથી આવેલા ચિત્રકારનું ચિત્રેલું ત્યાંના રાજકુમાર દેવસિંહનું ચિત્રપટ, રાજકુમારીના હાથમાં પડ્યું. રાજકુમારીની નજર એ ચિત્રપટ જોતાંજ સ્થિર થઈ ગઈ “અહો! શું એનું સૌદર્ય! આ તે દેવકુમાર કે રાજકુમાર 92 “દેવકુમાર નહિ રાજકુમાર. સખીઓ હસી પડી. “ક્યાંના રાજકુમાર ?" કંઈક લેભ પામેલી કનકસુંદરી બેલી.. “મિથિલાનગરીના !) એક સખી હતી. તે . જે બાળાના એ પતિ થશે તે બાળાના સૌભાગ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust