Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 170 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપનારાં એવાં અનેક વૃક્ષે, લત્તાએ મંજરીઓ, પુષ્પો અને ફળેથી બચી ગયેલા એ વનની અપૂર્વ ભાથી નમંડલમાં તારાગણની જેમ તે વિદ્વાનોની પ્રશંસાને પામેલું હતું. જ્યાં કિન્નરનાં મિથુને હરહમેશ ક્રીડા કરી. રહ્યાં છે કે કિલાએ પિતાનાં મધુર ગાનથી કિન્નર મિથુન નના આનંદમાં વૃદ્ધિ કરી રહી છે અને ભમરાનાં જુથ. પોતાના ગુંજારથી મંત્રોના પાઠ ભણી રહ્યા છે કે શું! એવાં લત્તાગૃહોમાં ક્રીડા કરવાને દેવમિથુનને આકર્ષતાં હેય શું ! સ્વર્ગના ટુકડા સમા એ રમણીય વનખંડમાં વિદ્યાધરેએ નિમેલા જીનમંડપમાં સ્વણપીક ઉપર પદ્મરાગ મણિરતનથી રચાયેલી અહંત ભગવાનની પ્રતિમા હતી. વિદ્યા સાધવાને માટે આવતા અનેક વિદ્યાધર વિદ્યાધરીથી. પૂજાતા એ ભગવાન કલ્પવૃક્ષ સમાન અમેઘ ફલને આપનારા હતા. તે વનમાં જીન ચિત્યની સમીપે રહેલા એક વિશાળ આમ્રવૃક્ષ ઉપર પરસ્પર ગાઢ સ્નેહવાળું એક શુક ચુગલ રહેતું હતું. તિર્યંચ યોનિમાં હોવા છતાં સરળ પરિણામી, લઘુકમી, અને માઠા પરિણામથી રહિત એ કીર યુગલ દરરોજ વિદ્યાધરોથી એ ભગવાનને પૂજાતા જોઇને ભદ્રક પરિણામી થયું હતું. હરરોજના એ નિરક્ષણથી તેમને પણ એ ભગવાન તરફ અમંદ આનંદ થવા લાગ્યો. કારણકે ગમે તેવા સ્થાને વિશેષમાં હોવા છતાંય ભાવિ કલ્યાણની પ્રાપ્તિવાળા ઉત્તમ ને અજ્ઞાનપણામાં પણ ઉત્તમ પદાર્થ ઉપર શું પ્રીતિ નથી થતી? ત્યારે ગુર કર્મ જી જ્ઞાનવાન હોવા છતાં પણ ઉત્તમ વસ્તુ તરફ અનાદરવાળા હોય છે એ નર્યું દીપક જેવું સત્ય કાણ નથી જાણતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust