Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 174 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - અરે દેવ ! શું વાત કહું ? એને તો વિવાહની વાતેય ગમતી નથી, તો પછી લગ્ન તો એ કરેજ શાની! રાણીને ધડાકે સાંભળી રાજા ચિંતાતુર થયો, એને સ્વયંવર કરીયે, અનેક રાજકુમારે સ્વયં વરમાં આવશે. પુત્રીને કેઈક તે પસંદ પડશેજ. 7 “લગ્ન તરફ એની અભિરૂચિ જાગ્રત ન થાય તો પછી સ્વયંવર પણ શા કામને ?' ઠીક છે તો મને વિચાર કરવા દ્યો. રાજાએ વાતને ટુંકી કરી, - બીજે દિવસે રાજસભામાં રાજાએ મંત્રીઓની સન્મુખ એ વિચાર રજુ કર્યો, “હે મંત્રીન ! તારૂણ્ય અવસ્થા પ્રાપ્ત થયા છતાં રાજકન્યા વિવાહને ઈચ્છતી નથી તો એ માટે શું ઉપાય કરવું ? - “હે સ્વામિન ! યૌવન વયમાં અનંગના રંગ અનેક પ્રકારે જોવાય છે યૌવનમાં આવેલા દરેક પ્રાણીને અનંગ દેવ અનેક રંગથી રંગ્યા વગર રહેતો નથી નિ: સત્વ અને પાપી જીવ ઉપર એની જાદૂઈ અસર ખુબજ જોરદાર હોય છે કિંતુ મહાત્માજનેને તે બિચારે રાંક શું કરી શકે 99 મંત્રી મતિસાગરે વિચાર કરીને કહ્યું, ““તો શું રાજપુત્રી લગ્ન નહિ કરે ત્યારે ? લગ્ન નહિ કરે તે શું દીક્ષા લેશે ?" દેવ ! એક રસ્તો છે. એ નિર્વિકારી બાળાને પણ કદાચ એને પરભવને પતિ મલે ને એની સાથે એ લગ્નથી જોડાયે ખરી, >> પણ એના પતિને આપણે શી રીતે ઓળખી શકીયે?” . “આપણે ઓળખવાની જરૂર નથી. 2 - “ત્યારે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust